મસ્જિદમાં જય શ્રી રામનો નારો લગાવવો એ ગુનો નથી: સુપ્રીમ કોર્ટની ટીપ્પણી
![](https://khabarchhe.com/uploads/mc_path/172950021520.jpg)
એક કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે ટીપ્પણી કરી છે કે મસ્જિદમાં જયશ્રી રામનો નારો લગાવવો એ ગુનો નથી.
મસ્જિદમાં જયશ્રી રામના નારા લગાવીને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં કર્ણાટક હાઇકોર્ટે રદ કરેલી FIRની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે.
કર્ણાટકના હૈદર અલીએ ફરિયાદ કરી હતી કે, કીર્તન કુમાર અને સચિન કુમાર નામના બે માણસોએ મસ્જિદની અંદર જયશ્રી રામના નારા લગાવ્યા હતા જેની FIR કર્ણાટક હાઇકોર્ટે રદ કરી છે જેની સામે સુપ્રીમમાં કેસ કર્યો છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પંકજ મિત્તલ અને ન્યાયાધીશ સંદીપ મહેતાની બેંચે કહ્યું કે, મસ્જિદમાં એક વિશેષ ધર્મનો નારો લગાવવો એ ગુનાહીત કૃત્ય કેવી રીતે મનાઇ?
હવે બાકીની સુનાવણી જાન્યુઆરી 2025માં થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp