મહા કુંભમાં જીવ ગુમાવનારા પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું- બધા મોક્ષને પામ્યા છે

PC: facebook.com/bageshwardhamsarkarofficial/

મહાકુંભમા 29 જાન્યુઆરી નાસભાગને કારણે 30 લોકોના મોત થયા એ ઘટના અંગે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું વિવાદીત નિવેદન સામે આવ્યું છે. શાસ્ત્રીએ કહ્યું કે, જે કોઇ ગંગા કિનારે મોતને ભેટે છે તે મોક્ષને પામે છે.

હમેંશા વિવાદોમાં રહેતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ એક વીડિયોમાં કહ્યું કે,એક વાર બધાએ મરવાનું જ છે. કોઇ દવા વગર મોતને ભેટે છે તો કોઇ આરોગ્ય વ્યવસ્થાના અભાવે તો કોઇ હાર્ટ એટેકને કારણે મોતને ભેટે છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદન પર જાણીતા લોક ગાયક નેહા રાઠોડે  x પ્લેટફોર્મ પર લખ્યું કે, આ બાબા કહે છે કે મહાકુંભમાં મરનારા મોક્ષને પામ્યા છે. જો મોક્ષને પામવાની આ જ રીત હોય તો બધા VIP અને આ બાબા કચડાયેલા લોકોની સાથે કુદી પડવું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp