પુલવામામાં સેનાએ 2 આતંકીને ઠાર કર્યા, હિઝબુલના ડેપ્યૂટી ચીફને પણ ઘેરી લીધો

PC: ANI

જમ્મુ-કાશ્મીરમાં સેનાને મોટી સફળતા મળી છે. સેનાએ 2 આતંકીને ઠાર કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે, પુલવામા હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળોનું આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન સતત ચાલુ છે. ત્યારે શુક્રવારના રોજ પુલવામામાં સુરક્ષાબળોએ હિઝબુલ મુઝાહિદ્દીનના ડેપ્યુટી ચીફ સૈફુલ્લાને ઘેરી લીધો હતો અને બે અન્ય આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

શુક્રવારે સવારથી આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે ગોળીબારી ચાલી રહી છએ. બંને તરફથી સતત ગોળીઓનો વરસાદ થઇ રહ્યો હતો. આ ગોળીબારી પુલવામાના બ્રોબંદિના વિસ્તારમાં થઇ હતી, જ્યાં ઇનપુટ મળ્યા બાદ સુરક્ષાબળોએ પોતાનું ઓપરેશન શરૂ કર્યું હતું અને વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. 

સુરક્ષાબળ તરફથી 55 રાષ્ટ્રીય રાઇફલ્સ, CRPF અને પુલવામા પોલીસે મોરચો સંભાળ્યો હતો. હજુ પણ  આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp