હલ્દીરામ ખરીદવા વિદેશી કંપનીઓ તૈયાર, મળી રહી છે ઓફર પર ઓફર, આ સ્થિતિ કેમ આવી?

PC: haldiram.com

હલ્દીરામ એક એવું નામ છે જે સાંભળીને મોંમાં પાણી આવી જાય છે. બ્રાન્ડ જેણે મધ્યમ વર્ગને કંઇક ખાસ હોવાનો અનુભવ કરાવ્યો. 5 અને 10 રૂપિયાના પેકેટ સાથે દેશના સામાન્ય લોકો સુધી પહોંચ્યા. ગુલામ ભારતથી સ્વતંત્ર ભારતમાં આઝાદીનો શ્વાસ લેનાર કંપનીના હવે વેચાણના સમાચાર આવી રહ્યા છે. અન્ય એક વિદેશી કંપનીએ મીઠાઈ અને નાસ્તો બનાવતી દેશની સૌથી મોટી કંપની હલ્દીરામમાં હિસ્સો ખરીદવામાં રસ દાખવ્યો છે.

ભારતીય નમકીન બ્રાન્ડ હલ્દીરામના વેચાણના અહેવાલો આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે અમેરિકાના ટાઈગર ગ્લોબલ મેનેજમેન્ટના યુનિટ આલ્ફા વેવ ગ્લોબલે હલ્દીરામમાં હિસ્સો ખરીદવામાં રસ દાખવ્યો છે. કંપની દ્વારા 1 બિલિયન ડૉલરની બંધનકર્તા ઓફર કરવામાં આવી છે. અગાઉ, વધુ બે વિદેશી કંપનીઓએ હલ્દીરામમાં 15 ટકાથી 20 ટકા હિસ્સો ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. બ્લેકસ્ટોન ઉપરાંત અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી અને સિંગાપોર સ્ટેટ ફંડ GICએ પણ બિડ કરી છે. જો કે, અહીં તમને જણાવી દઈએ કે, આ ડીલને લઈને હલ્દીરામ તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

દેશની સૌથી મોટી પેકેજ્ડ સ્નેક્સ અને મિઠાઈની કંપની હલ્દીરામને ખરીદવા માટે વિદેશી કંપનીઓમાં હરીફાઈ ચાલી રહી છે. અત્યાર સુધીમાં, 3 કંપનીઓ હલ્દીરામ સ્નેક્સ ફૂડમાં 15 થી 20 ટકા હિસ્સો મેળવવાની દોડમાં સામેલ છે. બ્લેકસ્ટોન અને બેઈન કેપિટલ પછી હવે આલ્ફા વેવ ગ્લોબલ પણ આ રેસમાં જોડાઈ ગઈ છે. માત્ર વિદેશી જ નહીં પરંતુ સ્થાનિક કંપનીઓએ પણ તેને ખરીદવાનો પ્રયાસ કર્યો હતો. ટાટા, પેપ્સીકોએ પણ હલ્દીરામ સાથે વાત કરી હતી, પરંતુ વેલ્યુએશનના મુદ્દે વાતચીત આગળ વધી શકી નથી.

હલ્દીરામ પાસે 150થી વધુ રેસ્ટોરાં છે. ભારતના નમકીન અને સ્નેક્સ બિઝનેસમાં તેનો મોટો હિસ્સો છે. યુરોમોનિટર ઈન્ટરનેશનલના જણાવ્યા અનુસાર, 6.2 બિલિયન ડૉલરના ભારતીય નમકીનના બજારમાં હલ્દીરામનો હિસ્સો લગભગ 13 ટકા છે. કંપની પાસે જૂના વારસાને આધુનિક પેઢી સાથે મેચ કરવાની કળા છે. દેશની અગ્રણી સ્નેક્સ બ્રાન્ડે તેના વારસાને સાચવવાની સાથે સાથે ટેકનોલોજીનો સમાવેશ કર્યો છે. કંપનીનું મૂલ્યાંકન રૂ. 66400 કરોડથી રૂ. 70500 કરોડ સુધી પહોંચી ગયું છે.

લોકોના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે, જ્યારે બધું બરાબર ચાલી રહ્યું છે તો પછી આ 87 વર્ષ જૂની કંપનીને કેમ વેચવામાં આવી રહી છે? જો કે આ પહેલા તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ હલ્દીરામને વેચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ટાટા, પેપ્સિકો જેવી કંપનીઓએ તેને ખરીદવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કોઈ સર્વસંમતિ સધાઈ શકી નથી. હવે વિદેશી કંપનીઓ હલ્દીરામના સ્વાદ પર પોતાની માલિકી હક સ્થાપવાનો પ્રયાસ કરી રહી છે.

હલ્દીરામની શરૂઆત 1937માં ગંગા બિશન અગ્રવાલે બિકાનેરમાં એક નાની દુકાનથી કરી હતી. બિશન અગ્રવાલે તેની કાકી પાસેથી ચણાના લોટના ભુજિયા બનાવતા શીખ્યા અને તે જ મહોલ્લામાં ગલીના નાકે તેની નાની દુકાન ખોલી. ધીમે ધીમે લોકોને તેનો સ્વાદ પસંદ આવવા લાગ્યો. તેમની દાદી બિશનલાલને હલ્દીરામ કહીને બોલાવતા હતા, જેના કારણે તેમણે તેમના નમકીન ભુજિયાનું નામ પણ હલ્દીરામ જ રાખ્યું હતું.

સોન પાપડીથી લઈને સૂકા સમોસા, મઠરી, નમકીન ભુજીયા, મિક્સર, રેડી ટુ ઈટ, બિસ્કીટ, કુકીઝ વગેરે નાસ્તા અને મીઠાઈઓ બનાવતી કંપની પરિવારની નવી પેઢી તેને આગળ વધારવામાં બહુ રસ દાખવતી નથી. પરિવાર આ વ્યવસાયને આગળ વધારવામાં રસ દાખવી રહ્યો નથી. અગ્રવાલ પરિવારની નવી પેઢીએ પોતાને કંપનીના રોજિંદા કામકાજથી અલગ કરી લીધા છે. કંપનીના CEO પદની જવાબદારી સંભાળવાને બદલે K.K.ચુટાણીની નિમણૂંક કરવામાં આવી હતી. વિભાજન પછી હલ્દીરામ કંપની એક નામ અને એક લોગો સાથે ત્રણ ભાગમાં બિઝનેસ કરે છે. એક જૂથ કોલકાતાથી, એક દિલ્હીથી અને એક નાગપુરથી કાર્ય કરે છે. દિલ્હીનો બિઝનેસ મનોહર અગ્રવાલ અને મધુસૂદન અગ્રવાલ સંભાળે છે, જ્યારે નાગપુરનો બિઝનેસ કમલકુમાર શિવકિશન અગ્રવાલ પાસે છે. આ ડીલમાં આ જ બંને ભાગો સામેલ છે. કોલકાતાથી કાર્યરત હલ્દીરામનો રેસ્ટોરન્ટ બિઝનેસ આમાં સામેલ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp