15-20 દિવસમાં રામલલ્લાના દર્શન કરવા જવાનું વિચારતા હો તો આ સમાચાર વાંચી લેજો
શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના ચંપતરાયેએક નિવેદનમાં જણાવ્યું છે કે,મોટી સંખ્યામાં પ્રયાગરાજ મહાકુંભથી લોકો અયોધ્યા રામમંદિરમાં દર્શન કરવા માટે આવી રહ્યા છે. છેલ્લાં 3 દિવસમાં જ શ્રધ્ધાળુઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે. અયોધ્યા ધામની વસ્તી અને સાઇઝ જોતા એમ કહી શકાય કે એક દિવસમાં કરોડો લોકોને સભાંળવુ શક્ય નથી. એક દિવસમાં કરોડો લોકોને રામલલ્લાના દર્શન કરાવવા એ ભારે કઠીન કામ છે.
આ વાતને ધ્યાનમાં રાખીને અયોધ્યાની આજુબાજુમાં રહેતા લોકોને વિનંતી છે કે હમણાં 15-20 દિવસ સુધી અયોધ્યા આવવાનું ટાળજો. જેથી દુરથી આવી રહેલા લોકોને દર્શનની સુવિધા પુરી પાડી શકાય. વસંત પંચમી પછી ભીડ ઓછી થશે અને હવામાન પણ સારું રહેશે.લોકોને અત્યારે ઘણું લાંબુ ચાલીને આવવું પડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp