શ્રીનગરમાં આતંકીઓનો ગ્રેનેડ ઍૅટેક, 7 લોકો ઇજાગ્રસ્ત
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પણ હરિ સિંહ હાઇટ સ્ટ્રીટ પાસે આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો. આ હુમલામાં 7 લોકો ગંભીરરૂપે ઇજાગ્રસ્ત થયા હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. આ ગ્રેનેડ અટેક ત્યારે થયો હતો, જ્યારે કાશ્મીર ઘાટીમાં સુરક્ષા વ્યવસ્થા કડક છે અને દરેક જગ્યાઓએ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
Jammu and Kashmir: Search operation underway at Hari Singh High Street in Srinagar following a grenade attack earlier today. More details awaited. pic.twitter.com/q0ETOUukJ7
— ANI (@ANI) October 12, 2019
આ ગ્રેનેડ હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સ્થાનિક હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ જ્યાં ગ્રેનેડ હુમલો થયો તેની આસપાસના વિસ્તારમાં વધુ સુરક્ષાબળોની તૈનાતી કરવામાં આવી છે. ઘટનાસ્થળ પર જમ્મુ-કાશ્મીર પોલીસની સાથે-સાથે સુરક્ષાબળોની ટીમ પણ હાડર છે. સુરક્ષાબળ ગ્રેનેડ અટેક વિશે તપાસ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp