આર્મી જવાન ઔરંગઝેબનું આતંકીઓએ કર્યું અપહરણ

PC: sputniknews.com

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ એકવાર ફરીથી પોતાની કાયરતાનો પરિચય આપ્યો છે. પુંછ જિલ્લાના આર્મી જવાનનું આજે આતંકીઓએ અપહરણ કર્યું છે. રાયફલમેનનું નામ ઔરંગઝેબ છે, જે પોતાના ઘરે ઈદની રજા મનાવવા માટે જઈ રહ્યો હતો, તે સમયે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું.

જણાવવામાં આવી રહ્યું છે કે આતંકી ટાઈગર વિરુદ્ધ સેનાએ જે ઓપરેશન ચલાવ્યું હતું, તે ઓપરેશનમાં ઔરંગઝેબ મેજર શુક્લાની સાથે હતો. ઔરંગઝેબની પોસ્ટિંગ 44RR શાદીમાર્ગમાં હતી. તે પુંછનો રહેવાસી હતો.

જે સમયે તે ઘરે જઈ રહ્યો હતો, ત્યારે મુગલ રોડ પર તેને આતંકીઓએ અગવા કરી લીધો હતો. આ અપહરણ સવારે 9 વાગ્યે થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે ઔરંગઝેબ સવારે નવ વાગ્યે પોતાના પ્રાઈવેટ વાહનમાં શોપિયા તરફ જઈ રહ્યા હતા. ત્યારે કલમપોરાની પાસે આતંકીઓએ તેના વાહનને રોક્યું હતું અને અપહરણ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp