જમ્મુના બાંદીપોરામાં આતંકીઓ સાથેની મૂઠભેડમાં એક જવાન શહીદ અને બે આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીરના બાંદીપોરાના જંગલ વિસ્તારોમાં આતંકવાદીઓ સાથે થયેલી મૂઠભેડમાં સેનાનો એક જવાબ શહીદ થયો છે, જ્યારે સુરક્ષાબળોએ બે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આતંકીઓ હજુ પણ જંગલમાં છૂપાયેલા છે અને તેમને શોધવા માટેનું ઓપરેશન ચાલુ છે.
#Visuals Jammu & Kashmir: One army personnel dead and two terrorists killed during an ongoing operation in Bandipora's Panar forest area. (Visuals deferred by unspecified time) pic.twitter.com/cYByGzFn6X
— ANI (@ANI) June 14, 2018
રક્ષા પ્રવક્તાએ કહ્યું હતું કે, ઉત્તર કાશ્મીરમાં બાંદીપોરા જિલ્લાના પનાર વન્ય ક્ષેત્રમાં ચાલી રહેલા અભિયાનમાં બે આતંકવાદીઓને ઢેર કરવામાં આવ્યા છે. આંતકીઓ દ્વારા સેના પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યા પછી આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
Jammu & Kashmir: One army personnel dead and two terrorists killed during an ongoing operation in Bandipora's Panar forest area. pic.twitter.com/d2hmUfqqyr
— ANI (@ANI) June 14, 2018
તે સિવાય રમઝાનના પવિત્ર મહિનામાં પણ પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું સતત ઉલ્લંઘન કરવામાં આવવાની સાથે ઘણા આતંકવાદી હુમલાઓ થઈ રહ્યા છે. ગઈકાલે જ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો થતા બે જવાનો શહીદ થયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp