PM મુલાકાતની તૈયારી: રિવ્યુ બેઠક કરાઈ

PC: khabarchhe.com

17મી જાન્‍યુઆરીએ PM મોદી અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્‍ઝામીન નેતાન યાહુ ગુજરાતની મુલાકાતે આવનાર છે. આ દરમિયાન અમદાવાદના સાબરમતી આશ્રમ, બાવળા તાલુકાના દેવ ધોલેરા નજીક આઇક્રિએટ સંસ્‍થાની તેમજ સાબરકાઠા જિલ્‍લાના પ્રાંતિજ તાલુકાના વદરાડ ગામે સેન્‍ટર ઓફ એકસેલન્‍સ ફોર વેજીટેબલની પણ મુલાકાત લેનાર છે. આ સંદર્ભે રાજ્યના મહેસુલ મંત્રી કૌશિક પટેલના અધ્‍યક્ષસ્‍થાને એનેક્ષી ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં કાર્યક્રમ સંદર્ભે હાથ ધરાયેલી પૂર્વ તૈયારીઓ અને આયોજન અંગે ચર્ચા સમીક્ષા કરવામાં આવી હતી. ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મહિલા બાળ વિકાસ મંત્રી વિભાવરીબેન દવે, અમદાવાદ જિલ્‍લા કલેકટર અવંતિકાસિંઘ અને ઉચ્‍ચ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્‍થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.