LIVE: CM તરીકે શપથ લેતા જ ખેડૂતો માટે યેદિયુરપ્પાએ કરી મોટી જાહેરાત

PC: khabarchhe.com

કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે ત્રીજીવાર શપથ લેતાની સાથે જ યેદિયુરપ્પાએ ખેડૂતોની લોન માફ કરવાની જાહેરાત કરી દીધી છે, પરંતુ આ અંગે એક-બે દિવસમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. મુખ્યમંત્રી પદની શપથ લીધા બાદ યેદિયુરપ્પાએ કહ્યું હતું કે, હું મારા વચન મુજબ ખેડૂતોની લોનમાફીની જાહેરાત કરું છું. બહુમત સાબિત કરવાના સવાલ પર તેમણે કહ્યું હતું કે, હું 100% આશ્વસ્ત છું કે બહુમતી સાબિત કરવામાં અમે સફળ રહીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

17 May, 2018
06:13 PM
લખનૌમાં પણ કર્ણાટકના રાજ્યપાલના નિર્ણય વિરુદ્ધ કોંગ્રેસનું પ્રદર્શન
17 May, 2018
05:26 PM
શપથ લેતાની સાથે જ યેદિયુરપ્પાએ 4 IPS ઓફિસરના ટ્રાન્સફર ઓર્ડર આપ્યા
17 May, 2018
05:20 PM
કોંગ્રેસ 18 મેના રોજ સંવિધાન બચાવો દિવસ મનાવશે
17 May, 2018
05:14 PM
રાષ્ટ્રપતિભવન સામે ધરણા પર બેઠા યશવંત સિન્હા
17 May, 2018
04:44 PM
યેદિયુરપ્પા એક દિવસ માટે CM બન્યા છેઃ સુરજેવાલા
17 May, 2018
04:33 PM
કર્ણાટકના રાજ્યપાલે લોકતંત્રની હત્યા કરીઃ સુરજેવાલા
17 May, 2018
04:06 PM
રાજ્યપાલના નિર્ણય વિરુદ્ધ કેટલાય રાજ્યોમાં વિરોધ પ્રદર્શન
17 May, 2018
04:01 PM
કોંગ્રેસ અને JD(S)એ સુપ્રીમ કોર્ટમાં નવી અરજી દાખલ કરી
17 May, 2018
03:59 PM
સ્વાસ્થ્યનું કારણ આપી કોંગ્રેસ MLA રાજ શેખર પાટીલે રિસોર્ટ છોડ્યો
17 May, 2018
03:48 PM
કર્ણાટક મુદ્દે BJP વિરુદ્ધ શુક્રવારે RJD પટનામાં પ્રદર્શન કરશે
17 May, 2018
03:08 PM
રિસોર્ટથી કોંગ્રેસનો વધુ એક ધારાસભ્ય ગાયબ
17 May, 2018
02:34 PM
રાજ્યપાલ સંવિઘાનની વિરુદ્ધમાં જઈ રહ્યા છે. રાજ્યપાલની ભૂમિકા સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવી રહી છેઃ કેપ્ટન અમરિંદર સિંહ
17 May, 2018
01:54 PM
કર્ણાટકમાં લોકતંત્રના વિપરીત કાર્ય થયું છેઃ એમકે સ્ટાલીન
17 May, 2018
01:27 PM
JD(S)ના ધારાસભ્યો ઇગલટન રિસોર્ટ પહોંચ્યા
17 May, 2018
01:26 PM
અમારે 50 વર્ષ સુધી સત્તામાં રહેવાની તૈયારી સાથે કામ કરવાનું છેઃ અમિત શાહ
17 May, 2018
01:23 PM
કર્ણાટકમાં ભારતના સંવિધાનનું અપમાન થયું છેઃ રામ જેઠમલાણી
17 May, 2018
01:16 PM
રામ જેઠમલાણી પહોંચ્યા સુપ્રીમ કોર્ટ
17 May, 2018
01:08 PM
BJP સંવિધાનનો ખાત્મો કરવાનું આયોજન કરી રહી છેઃ માયાવતી
17 May, 2018
01:05 PM
પ્રતાપ ગૌડા પાટીલ ઇગલટન રિસોર્ટથી ગાયબ થવાની ખબર છે. સૂત્રોનું કહેવું છે કે, પાટીલ BJP સાથે ચાલી ગયા છે. ગઈ રાત સુધી કોંગ્રેસની સાથે તેઓ હતા અને સમર્થન પત્ર પર સહી પણ કરી હતી.
17 May, 2018
01:00 PM
કર્ણાટકમાં સરકાર બનાવવાને લઈને દોડાદોડ ચાલુ છે. BJPના યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી તરીકે શપથ લઈ લીધા છે અને હવે તેમને વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરવાની છે, તેવામાં કોંગ્રેસ અને JD(S) પોતાના ધારાસભ્યોને BJPથી બચાવીને રાખવાની કોશિશ કરી રહી છે, તેવામાં કોંગ્રેસના બે ધારાસભ્યો અચાનક ગાયબ થઈ ગયા છે, જેને લીધે કોંગ્રેસ દોડતી થઈ ગઈ છે. બેલ્લારીથી કોંગ્રેસના ધારાસભ્ય આનંદસિંહ ગઈરાત્રે ઇગલટન રિસોર્ટ નહોતા પહોંચ્યા અને કર્ણાટક હૈદરાબાદ ક્ષેત્રના કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ ગૌડા પાટીલની પણ ગાયબ થવાની ખબર આવી છે.
17 May, 2018
12:56 PM
અમને પૂરો વિશ્વાસ છે કે આ ટૂંકા ગાળાની સરકાર છે કારણ કે બહુમતી અમારી સાથે છેઃ ડીકે શિવકુમાર, કોંગ્રેસ
અમને પૂરો વિશ્વાસ છે કે આ ટૂંકા ગાળાની સરકાર છે કારણ કે બહુમતી અમારી સાથે છેઃ ડીકે શિવકુમાર, કોંગ્રેસ
17 May, 2018
12:52 PM
અપક્ષ ધારાસભ્ય અમારા કોન્ટેક્ટમાં છે કામ થઈ જશેઃ BJP MLA શ્રીરામુલુ
17 May, 2018
12:50 PM
કોંગ્રેસ અને JD(S)ના તમામ 118 ધારાસભ્યો અમારી સાથે અહિયા રાજભવન પર છેઃ સિદ્ધારમૈયા

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp