કોંગ્રેસ બોલી- મેહુલ ‘ભાઈ’ ચોક્સી હવે વોન્ટેડ નથી રહ્યો, લોકો બોલ્યા..

PC: news18.com

પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના કેસમાં ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સીનું નામ પર જાહેર થયેલી રેડ કોર્નર નોટિસ હટાવી દેવામાં આવી છે. નોટિસ હવે ઇન્ટરપોલની વેબસાઇટ પર ઉપલબ્ધ નથી. મેહુલ ચોક્સીના વકીલ, વિજય અગ્રવાલે કહ્યું કે, અમારી કાયદાકીય ટીમના પ્રયાસો અને મારા ક્લાયન્ટના કેસની વાસ્તવિકતાના કારણે રેડ કોર્નર નોટિસ રદ્દ કરી દેવામાં આવી છે. અંતે સત્યની જીત થઈ. જો કે, હવે આ મામલે કોંગ્રેસ મોદી સરકાર પર પ્રહાર કરી રહી છે.

કોંગ્રેસના સત્તાવાર ટ્વીટર હેન્સલ પરથી ટ્વીટ કરીને લખવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચહિતો મેહુલ ‘ભાઈ’ ચોક્સી હવે વોન્ટેડ રહ્યો નથી. ભાગેડુ મેહુલ ચોક્સી વિરુદ્ધ ઇન્ટરપોલે રેડ કોર્નર નોટિસ હટાવી લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાબ આપે કે તમારા ‘મેહુલ ભાઈ’ને દેશ પરત ક્યારે લાવવામાં આવશે. 5 વર્ષથી ફરાર છે, હજુ કેટલો સામે જોઈએ?

તો કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ આ મુદ્દાને લઈને કટાક્ષ કર્યો છે. મલ્લિકાર્જૂન ખડગેયે વિપક્ષી નેતાઓ માટે ED, CBI પર મોદીજીના ‘આપણાં મેહુલ ભાઈ’ માટે ઇન્ટરપોલમાંથી મુક્તિ. જ્યારે ‘પરમ મિત્ર’ માટે કરી શકે છે સંસદ ઠપ્પ, તો જૂનો મિત્ર, જેને કર્યો હતો 5 વર્ષ અગાઉ ફરાર, ભલું તેને મદદ કરવાની કેવી રીતે ના પાડી શકાય. ડૂબ્યાં દેશના હજારો-કરોડ, ‘ન ખાવા દઇશ’ બન્યો જમલો બેજોડ.’

સોશિયલ મીડિયા પર લોકો તેના પર જાત જાતની ટિપ્પણી કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, હકીકત તો એ છે કે ઇન્ટરપોલ ન તો પોતાની જાતે રેડ કોર્નર નોટિસ જાહેર કરે છે અને ન પોતાની મરજીથી તેને હટાવે છે. મેમ્બર દેશના અનુરોધ પર જ એમ થાય છે, તેનો અર્થ સ્પષ્ટ છે કે ભારત સરકારે રેડ કોર્નર નોટિસ હટાવવા કહ્યું છે. @GurjarAryaveer નામના યુઝરે લખ્યું કે, કથની અને કરણીમાં અંતર હોવાના કારણે, કોંગ્રેસને અદાણી કેસમાં જનતા અને કાર્યકર્તાઓનું સમર્થન મળી રહ્યું નથી. જ્યારે અદાણી પર મેહરબાન ગેહલોત પર કોંગ્રેસનું જોર ચાલતું નથી, તો ભલું મોદી પર શું દબાવ બનાવશે?

અશોક વસોયા નામના યુઝરે લખ્યું કે, મેહુલ ચોક્સી હવે ઇન્ટરપોલની નજરમાં ભાગેડુ રહ્યો નથી. ઇન્ટરપોલે તેના પરથી રેડ કોર્નર નોટિસ પરત લઈ લીધી છે. હવે ભારત છોડીને આખી દુનિયામાં ગમે ત્યાં આરામથી આવી જઈ શકે છે. સવાલ ઉઠે છે કે આ મહેરબાની પાછળ કોણ જવાબદાર? સરકાર જવાબ આપે. એક યુઝરે લખ્યું કે, અમૃતકાળનો સીધો લાભ દેશના ઠગો અને ભાગેડુને મળી રહ્યો છે, એવા લોકો પર જ મોદીજીની સરકાર નિયમને તાક પર રાખીને ખૂબ કૃપા વરસાવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp