J&K: આતંકીઓએ નેશનલ કોન્ફરન્સના નેતાના ઘરે ફેંક્યો ગ્રેનેડ

PC: greaterkashmir.com

જમ્મુ-કાશ્મીરમાં ત્રાલ વિસ્તારમાં આતંકવાદીઓએ નેશનલ કોન્ફરન્સના નેતા મોહમ્મદ અશરફ બટના ઘરે ગ્રેનેડ ફેંક્યો હતો. ગ્રેનેડ ઘરની બહાર જ ફાટી ગયો હતો. રિપોર્ટ લખાય છે, ત્યાં સુધી કોઇ જાનહાનીની ખબર સામે આવી નથી.

તમને જણાવી દઇએ કે, આ પહેલીવાર નથી, જ્યારે આતંકીઓએ મોહમ્મદ અશરફ બટના ઘર પર બોમ્બ ફેંક્યો હોય. આ પહેલા મે 2018મા પણ આતંકીઓએ બટના મકાનને ઉડાવવાની કોશિશ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014મા નેશનલ કોન્ફરન્સની ટિકિટ પર ત્રાલ વિધાનસભા બેઠક પરથી તેઓ ચૂંટણી લડ્યા હતા. તેમના પિતા મોહમ્મદ સુભાન બટ, ભાઇ ફૈયાઝ અહમદ અને શૌકત અહમદ આતંકી હુમલામાં માર્યા ગયા છે. મોહમ્મદ અશરફના પિતા ત્રાલના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp