PM 8 એપ્રિલે પ્રકાશ પૂરબના ઉપલક્ષ્યમાં ઉચ્ચસ્તરીય સમિતિની બેઠકની અધ્યક્ષતા કરશે

PC: PIB

PM નરેન્દ્ર મોદી 8 એપ્રિલ, 2021ના રોજ સવારે 11.00 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુરૂ તેગ બહાદુર જીની 400મી જયંતી (પ્રકાશ પૂરબ) મનાવવા માટે ઉચ્ચસ્તરીય સમિતિ (HLC)ની બેઠકની અધ્યક્ષતા કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ બેઠકમાં સામેલ થશે. આ બેઠકમાં આ ખાસ અવસરને સંબંધિત આયોજિત કાર્યક્રમો અંગે વર્ષભરના કેલેન્ડર પર ચર્ચા થશે.

કેન્દ્ર સરકાર દ્વારા 24 ઓક્ટોબર, 2020ના રોજ એચએલસીની રચના કરવામાં આવી હતી, જેથી તે આયોજનોની દેખરેખની સાથે ગુરૂ તેગ બહાદુર જીની 400મી જયંતી સંબંધિત નીતિઓ, યોજનાઓ અને કાર્યક્રમોને મંજૂરી આપી શકે. HLCમાં PM સહિત 70 સભ્યો હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp