રાહુલ ગાંધીએ IITના વિદ્યાર્થીઓને કોંગ્રેસ અને BJP વચ્ચેનો તફાવત સમજાવ્યો
કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી શનિવારે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) મદ્રાસ પહોંચ્યા અને ત્યાંના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી. આ દરમિયાન એક વિદ્યાર્થીએ પૂછ્યું કે BJP અને કોંગ્રેસ કેવી રીતે અલગ છે? જેના જવાબમાં રાહુલે કહ્યું કે, કોંગ્રેસ નિષ્પક્ષ રીતે કામ કરે છે, જ્યારે BJP આક્રમક અભિગમ સાથે કામ કરે છે. રાહુલે કહ્યું કે, કોંગ્રેસ સંસાધનોના સમાન વિતરણ અને સર્વસમાવેશક વૃદ્ધિમાં માને છે, જ્યારે BJP આક્રમક રીતે વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
રાહુલે કહ્યું, તેઓ (BJP) આર્થિક દૃષ્ટિકોણથી 'ટ્રિકલ ડાઉન'માં માને છે. તેમનું માનવું છે કે સંસાધનો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આર્થિક દૃષ્ટિકોણથી તેઓ તેને ટ્રીકલ ડાઉન કહે છે. જ્યારે સામાજિક મોરચે, અમારું માનવું છે કે, સમાજ જેટલો સુમેળભર્યો અને સંવાદિતાથી ભરેલો હશે, લોકો જેટલા ઓછા લડશે તેટલું દેશ માટે સારું રહેશે.
કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે, અમે આંતરરાષ્ટ્રીય સંબંધોના મોરચે અન્ય દેશો સાથે જે રીતે વાતચીત કરીએ છીએ તેમાં સંભવતઃ કેટલાક તફાવત હોઈ શકે છે, પરંતુ તે સમાન હશે.
રાહુલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે સરકારોએ વધુ ખર્ચ કરવો જોઈએ. ખાનગીકરણ અને નાણાકીય પ્રોત્સાહનો દ્વારા આ પ્રાપ્ત કરી શકાતું નથી.
જ્યારે પૂછવામાં આવ્યું કે, ઉચ્ચ શિક્ષણને કેવી રીતે પ્રોત્સાહન આપવું જોઈએ? રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશે તેના લોકોને ગુણવત્તાયુક્ત શિક્ષણની ખાતરી આપવી જોઈએ.
તેમણે IIT મદ્રાસના વિદ્યાર્થીઓને કહ્યું કે, મને નથી લાગતું કે આપણા લોકોને ગુણવત્તાયુક્ત શિક્ષણની ખાતરી આપવાનો શ્રેષ્ઠ માર્ગ દરેક વસ્તુનું ખાનગીકરણ કરી નાખવું. સાચું કહું તો, જ્યારે તમે કોઈપણ પ્રકારનું નાણાકીય પ્રોત્સાહન લાવો છો, ત્યારે તમે ખરેખર ગુણવત્તાયુક્ત શિક્ષણ આપતા નથી.
તેમણે કહ્યું, મેં ઘણી વખત કહ્યું છે કે, આપણા દેશની શ્રેષ્ઠ સંસ્થાઓ સરકારી સંસ્થાઓ છે, તમારી સંસ્થા પણ તેમાંથી એક છે. હું સરકારો શિક્ષણ પર વધુ નાણાં ખર્ચે તેની તરફેણમાં છું.
I believe it is one of the foremost responsibilities of any government to guarantee quality education to its people. This cannot be achieved through privatisation and financial incentives.
— Rahul Gandhi (@RahulGandhi) January 4, 2025
We need to spend a lot more money on education and strengthening government institutions. pic.twitter.com/tBkZxj6NmN
શિક્ષણ પ્રણાલી અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, તમે કદાચ મારી સાથે સહમત ન હોવ. મને લાગે છે કે તે ખૂબ જ પ્રતિબંધિત અને ટોપ-ડાઉન સિસ્ટમ છે. તે ખૂબ જ સાંકડી છે. મને નથી લાગતું કે આપણી શિક્ષણ પ્રણાલી આપણા બાળકોની કલ્પનાને ખીલવા દે છે.
તેમણે ઇનોવેશનની જોરદાર હિમાયત કરી અને કહ્યું કે, આ ત્યારે જ શક્ય બને છે જ્યારે તેઓ ઉત્પાદન શરૂ કરે અને તેમની કુશળતાનું સન્માન કરવામાં આવે અને તેમાં રોકાણ કરવામાં આવે.
તેમણે કહ્યું કે, હું જેના પર ભાર આપવા માંગુ છું તે છે સામગ્રી ઉત્પાદનના ક્ષેત્રમાં આગળ વધવું. મારા માટે, વાસ્તવિક નવીનતા તે ક્ષેત્રમાંથી આવે છે. તમે રિસર્ચ અને ડેવલપમેન્ટમાં જોઈએ તેટલા પૈસાનું રોકાણ કરી શકો છો, જો તમે વાસ્તવમાં તે વસ્તુનું ઉત્પાદન ન કરી રહ્યાં હોવ તો તે માત્ર બજેટ હશે.
ટ્રિકલ-ડાઉન સિદ્ધાંત હેઠળ, મોટા ઉદ્યોગો અને ઉદ્યોગપતિઓ (અમીરો)ને કરમાં છૂટ આપવાનો લાભ સમાજના તમામ વર્ગો સુધી પહોંચે છે. આ સિદ્ધાંતમાં દલીલ કરવામાં આવી છે કે, ધનિકોને તેમના ખર્ચમાંથી મુક્તિ આપવાથી તેમના દ્વારા કરાયેલા ખર્ચથી મજબૂત આર્થિક વૃદ્ધિમાં મદદ મળે છે અને તેના લાભો તમામ વર્ગ સુધી પહોંચે છે. આ સિદ્ધાંત પ્રથમ વખત અમેરિકી રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગનના કાર્યકાળ દરમિયાન અસ્તિત્વમાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp