કોંગ્રેસ અધ્યક્ષપદને લઇને જાણો આજે રાહુલ ગાંધીએ શું કહ્યું

PC: twitter.com/INCIndia

લોકસભા ચૂંટણીના પરિણામોને એક મહિનો થઇ ગયો છતા હજુ સુધી કોંગ્રેસમાં દોડાદોડી ચાલુ છે. કોંગ્રેસ પ્રેસિડેન્ટ રાહુલ ગાંધી પોતાનું રાજીનામું પહેલા જ રજૂ કરી ચૂક્યા છે. જો કે તેમને મનાવવા માટે પાર્ટીના દિગ્ગજ નેતાઓથી લઇને કાર્યકર્તાઓ સુધી તમામ પ્રયત્નો કરી ચૂક્યા છે, પરંતુ રાહુલ ગાંધી પોતાનું રાજીનામું આપવાને લઇને અડગ છે અને તેમણે તાજેતરમાં જ નવા અધ્યક્ષ બનાવવા માટે માગ કરી છે.

બુધવારના રોજ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પાર્ટીમાં જેમ બને તેમ જલદી અધ્યક્ષ પદ માટે ચૂંટણી થવી જોઇએ. હવે હું આ પદ પર નથી. એટલું જ નહીં, રાહુલનું માનવું છે કે, પાર્ટીને નવા અધ્યક્ષની પસંદગી એક મહિના પહેલા જ કરી લેવાની હતી.

રાહુલ ગાંધીએ આજે કહ્યું હતું કે, કોઇપણ કિંમત પર તે રાજીનામું પાછું લેવાના મૂડમાં નથી. તેમણે કહ્યું છે કે, જેમ બને તેમ જલદી અધ્યક્ષ પદ માટે ચૂંટણી થવી જોઇએ. ઉલ્લેખનીય છે કે, 23 મેના રોજ ચૂંટણી પરિણામો બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકમાં રાજીનામું આપવાની રજૂઆત કરી હતી.

રાહુલનું માનવું છે કે, પાર્ટીને નવા અધ્યક્ષની પસંદગી કરવામાં ઘણું મોડું થઇ રહ્યું છે. પાર્ટીને જલદી વર્કિંગ કમિટીની બેઠક બોલાવીને આના પર નિર્ણય લેવો જોઇએ. સાથે જ તેમનું કહેવું છે કે, તેઓ આ પ્રક્રિયાનો હિસ્સો નહીં રહે. તેમણે એવું પણ કહ્યું છે કે, વર્કિંગ કમિટીની બેઠક ક્યારે બોલાવવામાં આવશે, એ પણ સમિતિના સભ્યો જ નક્કી કરશે. હું બેઠક નહીં બોલાવું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp