અયોધ્યા રામમંદિરના 10 ફીટના શિખરને સોનાથી મઢવામાં આવશે

PC: bjp.org

અયોધ્યા રામમંદિરની જ્યારે 22 જાન્યુઆરી 2024માં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે મંદિર ચર્ચામા આવ્યું હતું, હવે ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે.રામમંદિરનું 10 ફીટનું શિખર આખું સોનાથી મઢવામાં આવશે. અને ડિસેમ્બર 2025માં આ કામ પુરુ થશે.

રામમંદિર નિર્માણ સમિતિના પ્રમુખ નૃપેન્દ્ર મિશ્રએ કહ્યું હતું કે, રામમંદિરના બાંધકામનો પ્રથમ તબક્કો પુરો થઇ ગયો છે અને પહેલા માળે આવેલા તમામ દરવાજા સોના જડિત છે. રામલ્લાનું આસાન પણ સોનાથી બનાવવામાં આવેલું છે અને હવે મંદિરના શિખરને પણ સોનાથી જડવામાં આવશે.

મંદિરનું જે બાકીનું કામ છે તે 15 માર્ચ 2025 પહેલા પુરુ કરી દેવામાં આવશે મંદિરમાં શ્રધ્ધાળુઓ સોના-ચાંદીના દિલ ખોલીને દાન કરી રહ્યા છે. મંદિરની અંદર બની રહેલા સપ્તક મંદિરનું કામ પણ ટુંક સમયમાં પુરુ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp