મહાકુંભમાં ગુજરાત સરકારે ગુજરાતીઓ માટે ગોઠવી છે ખાસ વ્યવસ્થા

PC: news18.com

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 144 વર્ષ પછી પવિત્ર મહાકુંભનું આયોજન થયું છે અને 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી 2025 સુધી મહાકુંભ થવાનો છે. ગુજરાત સરકારે પણ મહાકુંભમાં ગુજરાતીઓને મદદરૂપ થવા માટે ગુજરાત પેવેલિયન બનાવ્યું છે.

ગુજરાત પ્રવાસન નિગમે પ્રયાગરાજમાં ગુજરાત પેવેલિયન બનાવ્યું છે, જેમાં ભારત અને દુનિયાભરમાંથી મહાકુંભમાં આવનારા ગુજરાતીઓ ગુજરાતના વારસા વિશે જાણે અને શ્રધ્ધાળુઓને શક્ય તેટલી મદદ કરવામાં આવશે.

ગુજરાત પ્રવાસન નિગમે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે. 1800-180-5600 આ નંબર પર કોલ કરીને તમે સુવિધાની જાણકારી મેળવી શકો છો.

ગુજરાતી હસ્તકલાના 15 સ્ટોલ રાખવામાં આવ્યા છે, જેમાંથી ખરીદી પણ કરી શકશો અને ગ્રામીણ મહિલાઓ સંચાલિત 10 સ્ટોલ રાખવામાં આવ્યા છે, જેમાં ગુજરાતની દરેક વાનગી પિરસવમાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp