મમતાને મહામંડલેશ્વર બનાવવા બાબતે સાધુ સંતોમાં બે ફાડચા પડી ગયા

PC: x.com

બોલિવુડ અભિનેત્રી મમતા કુલકર્ણી મહાકુંભમાં કિન્નર અખાડીની મહામંડલેશ્વર બની ગઇ છે. શુક્રવારે ભગવા કપડા પહેરીને મમતા સંન્યાસી બની ગઇ. કિન્નર અખાડાના પ્રમુખ લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ દીક્ષા આપી અને મમતાનું નામ બદલીને શ્રીયામાઇ મમતા નંદગીરિ કરી દેવામાં આવ્યું.

મમતાને મહામંડલેશ્વર બનાવવા બાબતે સાધુ સંતોમાં બે ફાડચા પડી ગયા છે. એક ગ્રુપનું માનવું છે કે, આ ઘાતક અને ધર્મ વિરુદ્ધનો નિર્ણય છે. મહાકુંભને મજાક બનાવી દેવામાં આવ્યો છે. કોઇને પણ ઉઠાવીને મહામંડલેશ્વર બનાવી શકાય નહીં એના માટે પુરતી લાયકાત હોવી જરૂરી છે. તો મમતાના સમર્થનમાં કેટલાંકે કહ્યું કે, સંન્યાસનો બધાને અધિકાર છે અને લોક કલ્યાણ ઇચ્છતા હોય તેમનું સ્વાગત છે.

મહામંડલેશ્વર બનવા માટે વેદ, ગીતાનો અભ્યાસ હોવો જરૂરી છે ઉપરાંત ચરિત્ર, વ્યવહાર અને જ્ઞાન હોવું પણ જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp