J&K: કુલગામમાં થયેલી અથડામણમાં ભારતીય સેનાએ બે આતંકી ઠાર માર્યા

PC: newindianexpress.com

દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના યારીપૂરા ક્ષેત્રના કટપૂરા ગામમાં શનિવારે સેના અને અન્ય સુરક્ષાબળો દ્વારા કરવામાં આવેલ અથડામણમાં બે આંતકીઓને ઠાર કરવામાં આવેલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અથડામણમાં મારવામાં આવેલ આતંકીઓની ઓળખાણ અને તેમના સંગઠનની માહિતી મેળવવામાં આવી રહેલ છે. ત્યાંજ જણાવવામાં આવેલ છે કે, અંધારા અને લોકો દ્વારા સુરક્ષાબળોના ચક્રવ્યુ રચાયા હોવા છતા સ્થળેથી બે આતંકી ફરાર થવામાં કામયાબ રહ્યા હતા.

આ વચ્ચે સેનાના આ ઓપરેશન દરમિયાન લોકોએ આતંકીઓને ભગાડવા માટે વિસ્તારમાં હિસંક પ્રદર્શન પણ શરૂ કર્યા હતા. જે બાદ વિસ્તારમાં ઇંટરનેટ સેવાઓને બેન કરાતા સુરક્ષા બળોએ ઉપદ્રવીઓને ટીઅર ગેસ છોડી તેના ટોળા વિખેર્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આતંકીઓની વિરૂધ્ધમાં સેનાની કાર્યવાહી હાલમાં પણ ચાલુ છે. સેનાને આ વિસ્તારમાં 2-3 આતંકીઓના એક દળ છુપાયેલ હોવાની આશંકા છે. જેને જોતા અહિં વધુ સુરક્ષા તૈનાત કરવામાં આવી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp