રામ મંદિર બનાવવા CM યોગીએ દરેક પરિવાર પાસે એક ઈંટ અને આટલા રૂપિયા માગ્યા

PC: forevernews.in

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યા અંગે એક નિવેદન આપ્યું છે જે વિવાદનું કારણ બની શકે છે. CM યોગી આદિત્યનાથે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે દરેક પરિવારને 11 રૂપિયા અને એક ઈંટનું યોગદાન આપવા કહ્યું છે. આ પહેલીવાર છે જ્યારે યોગી આદિત્યનાથે લોકોને મંદિરના નિર્માણમાં ફાળો આપવા કહ્યું છે. મુખ્યમંત્રી યોગીએ ઝારખંડમાં ચૂંટણી રેલી દરમિયાન આ વાત કરી હતી.

ઝારખંડમાં CM યોગી ભાજપના ઉમેદવાર નાગેન્દ્ર મહતો માટે જાહેર સભાને સંબોધન કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, 500 વર્ષ જૂનો વિવાદ PM નરેન્દ્ર મોદીના પ્રયત્નો દ્વારા ઉકેલી શકાયો. તેમણે કહ્યું કે, કોંગ્રેસ, RJD, CPI-ML અને અન્ય કેટલાક પક્ષો લાંબા સમયથી ચાલતા આ વિવાદનો ઉકેલ ઇચ્છતા નહોતા.

તેમણે કહ્યું હતું કે, ટૂંક સમયમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવામાં આવશે. હું ઝારખંડના લોકોને પણ આમંત્રણ આપીશ અને એક પત્થર અને 11 રૂપિયા ઘરેથી રામ મંદિર જવા જોઈએ. લોકોને ઝારખંડની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને મત આપવા અપીલ કરતા યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, હું એ રાજ્યમાંથી આવ્યો છું, જેણે ભગવાન રામ અને તેમની શાસન પ્રણાલી આપી છે તેને રામરાજ્ય કહેવામાં આવે છે, એક એવી પ્રણાલી જેમાં નીતિઓ ગરીબ, યુવાનો, સ્ત્રીઓ અને સમાજના દરેક વર્ગને ધ્યાનમાં લેવામાં આવ્યો છે. આ જ કામ PM નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી રહ્યું છે.

યોગી આદિત્યનાથે નાગરિકત્વ કાયદાને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, એવા સમયે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને હોમ મિનિસ્ટર અમિત શાહ હિન્દુઓ, શીખ, બૌદ્ધ, ખ્રિસ્તીઓ અને પારસી લઘુમતીઓને નાગરિકત્વ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ત્રાસ અપાય છે અને શરણાર્થી જીવન જીવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp