ઉત્તર ગુજરાતનું આ ગામ બન્યું રસીયુક્ત અને કોરોનામુક્ત

PC: khabarchhe.com

શંખેશ્વર તાલુકાના બિલીયા ગામમાં કરવામાં આવેલી કામગીરીના પગલે આજદીન સુધી ગામમાં કોરોના વાયરસના સંક્રમણનો એકપણ કેસ સામે આવ્યો નથી. શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરની અપીલના પગલે સ્વયંભુ લોકડાઉન અને મહત્તમ રસીકરણના પરિણામે ગામના લોકો આ મહામારીના સમયમાં પણ સુરક્ષિત રહી શક્યા છે.

સમગ્ર વિશ્વમાં ફેલાયેલી કોરોના વાયરસ મહામારી પાટણ જિલ્લાના એક ગામને પ્રભાવિત કરી શકી નથી. તેનું કારણ છે ગ્રામજનોમાં જાગૃતિ, સંક્રમણથી બચવા માટેની તકેદારી અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી માર્ગદર્શિકાઓનું પાલન. શંખેશ્વર તાલુકાના બિલીયા ગામને કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોર દ્વારા સ્વખર્ચે સેનેટાઈઝ કરાવવામાં આવ્યું. સાથે સાથે ગામના પ્રત્યેક ઘરમાં માસ્ક વિતરણ કરવામાં આવ્યું. ગામના સરપંચના સહયોગથી ત્રણ વખત સમગ્ર ગામમાં ઉકાળા વિતરણ પણ કરવામાં આવ્યું.

ઉપરાંત કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોર તથા સમી તાલુકાની જમીન વિકાસ બેંકના પૂર્વ ચેરમેન અને સ્થાનિક આગેવાન નાડોદા કાનજીભાઈની અપીલના પગલે બિલીયા ગામમાં 15 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન પણ જાહેર કરવામાં આવ્યું હતું. સ્થાનિક જનપ્રતિનિધિઓ દ્વારા ચલાવવામાં આવેલી જનજાગૃતિ ઝુંબેશના પરિણામે કોરોના વાયરસ પ્રતિરોધક રસીકરણ અભિયાન અંતર્ગત 80 ટકા ગ્રામજનોએ રસી લીધી.

આમ, રાજ્ય સરકારની માર્ગદર્શિકાઓનું ચુસ્ત પાલન, કેબિનેટ મંત્રી દ્વારા કરવામાં આવેલા સહયોગ અને જનપ્રતિનિધિઓ દ્વારા રસીકરણ માટેની અપીલના પગલે મહત્તમ રસીકરણના પરિણામ સ્વરૂપે શંખેશ્વર તાલુકાના બિલીયા ગામ કોરોના સામેના જંગમાં ઉદાહરણરૂપ સાબિત થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp