આનંદ મહિન્દ્રાએ રિક્ષા પર જોયો કંપનીનો ઊંધો Logo, બદલાઈ રિક્ષાવાળાની જિંદગી

PC: indiatimes.com

આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ઘણાં એક્ટિવ રહે છે. રસપ્રદ વીડિયો અને તસવીરો શેર કરવાની સાથે તેઓ ફેન્સની પોસ્ટ પર રિપ્લાઈ પણ કરે છે. એવામાં નીરજ પ્રતાપ સિંહ નામના એક યૂઝરે આનંદ મહિન્દ્રાની ટ્વીટ પર કમેન્ટ કરતા એક રિક્ષાની તસવીર પોસ્ટ કરી હતી. આ પોસ્ટ જોઈને આનંદ મહિન્દ્રા રિક્ષાવાળાના ફેન બની ગયા. કારણ કે રિક્ષા પર ‘મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા’ કંપનીનો લોગો લાગેલો હતો. હવે આનંદ મહિન્દ્રા એ રિક્ષાચાલકને એક નવી અને અપગ્રેડેડ વાહન આપશે. આનંદ મહિન્દ્રાના આ જેસ્ચરે ફરી એકવાર લોકોના દિલ જીતી લીધા છે.

લોગો ઊંધો લગાવ્યો છેઃ

તેમની ટ્વીટમાં આનંદ મહિન્દ્રા લખે છે, મને લાગે છે નીરજ તને આ ફની લાગ્યું, અને હા... તે છે પણ. ખાસ કરીને ત્યારે, જ્યારે લોગોને ઊંધો લગાવવામાં આવ્યો છે. પણ મને ઘણી ખુશી છે. કારણ કે જો એક રિક્ષાચાલક અમારી બ્રાન્ડને આકાંક્ષાના રૂપમાં જોતો હોય, તો અમે તેને નવું અને અપગ્રેડેડ વાહન આપીશું. જેથી તે જીવનમાં આગળ વધી શકે.

આ પહેલીવાર નથી જ્યારે આનંદ મહિન્દ્રાએ કોઈની આ રીતે મદદ કરી હોય. પહેલા પણ તેઓ આ રીતે ઘણાં લોકોની મદદ કરી ચૂક્યા છે. તે પછી પેલા ઈડલીવાળા દાદી હોય, વડોદરાનો એ યુવક હોય કે પછી પોતાની માતાને સ્કૂટર પર યાત્રા કરવાનાર વ્યક્તિ હોય.

આ દરેકને આનંદ મહિન્દ્રાએ મદદ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp