રાષ્ટ્રીય કોંગ્રેસનાં મંત્રી, માજી સાંસદ ઈર્શાદ મીર્ઝા જન્નતનશીન

PC: khabarchhe.com

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માથા પર છે ત્યારે કોંગ્રેસને એક ઝાટકો લાગ્યો છે. મૂળ મોડાસાનાં વતની અને અમદાવાદમાં રહેતા રાષ્ટ્રીય કોંગ્રેસનાં મંત્રી અને ભૂતપૂર્વ સાંસદ ઈર્શાદ મીર્ઝાનું લાંબી માંદગીનાં અંતે આજે સવારે નિધન થયું હતું. સિનિયર કોંગ્રેસી નેતા તરીકે તેઓ માંદગીવશ થયા ત્યાં સુધી સક્રીય રહ્યા હતા. અમદાવાદ ખાતેથી તેમનાં પાર્થિવદેહને મોડાસા ખાતે લઈ જવામાં આવ્યો છે. જ્યાં આજે સાંજે તેમની દફનવિધિ કરવામાં આવશે.

ગુજરાતનાં પ્રવાસે આવેલા અને રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ કમિટીનાં અધ્યક્ષ સચીન પાયલોટે અમદાવાદમાં તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને કહ્યું હતું કે ઈર્શાદ મીર્ઝાએ આજીવન કોંગ્રેસ માટે કાર્ય કર્યું છે. રાજસ્થાનનાં પ્રભારી સચિવ તરીકે તેમણે અનેક કાર્યો કર્યા હતા. તેઓ એક સારા રાજનેતાની સાથે સાથે કર્તવ્યપારાયણ સમાજસેવી પણ હતા. કોંગ્રેસને ન પુરી શકાય તેવી ખોટ પડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp