ગોવા કોંગ્રેસના પાટલી બદલુ ધારાસભ્યોમાંથી ભાજપે ત્રણને આપ્યું મંત્રીપદ

PC: ANI

ગયા બુધવારે કોંગ્રેસમાં ધિંગાણું થયું હતું અને કોંગ્રેસના વિપક્ષના નેતા ચંદ્રકાન્ત કાવલેકર સહિતના દસ કોંગી નેતાઓ રાજ્યના વિકાસનું બહાનું ધરીને ભાજપમાં જોડાઈ ગયા હતા. એ દસ ધારાસભ્યોમાંથી ત્રણ ધારાસભ્યોને મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આજે મંત્રી બનાવી દીધા છે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ભાગેડુ ધારાસભ્યોને ખેરાત આપવા માટે સાવંત કેબિનેટમાં જગ્યા બનાવવી અત્યંત જરૂરી હતી. આ માટે મુખ્યમંત્રી દ્વારા ગોવા ફોર્વડ પાર્ટીના ત્રણ અને એક અપક્ષ એમ કુલ ચાર ધારાસભ્યો પાસે મંત્રીપદેથી રાજીનામા માગી લેવાયા છે. જોકે આશ્ચર્યની વાત એ છે કે ગોવા ફોર્વડ પાર્ટીના જે ધારાસભ્યોને મંત્રીપદેથી હટાવાયા છે એ ધારાસભ્યોએ 2017માં મનોહર પર્રિકરની અલ્પમત સરકારને ટેકો આપીને જીવનદાન આપ્યું હતું. અને ભાજપનું નાક કપાતું બચાવ્યું હતું. પરંતુ હવે આ પક્ષને બેક ફોર્વડ કરી દેવાયો છે.

ગોવા સરકારના આ નિર્ણય પછી ભાજપમાં આવેલા ચંદ્રકાન્ત કાવલેકર, ફિલિપ નેરી રોડ્રિગ્સ અને એતાનાસિયો મેન્સેરાતે સહિત ગોવા વિધાનસભાના ઉપ અધ્યક્ષ માઈકલ લોબો આજે બપોર પછી રાજભવનમાં શપથ લેશે. આ સાથે જ ત્રણ મહિના પહેલા બનેલી સાવંત સરકારના મંત્રીમંડળમાં આ બીજી વારની ફેરબદલ છે.

બીજી તરફ ગોવા ફોર્વડ પાર્ટીના ધારાસભ્ય અને અત્યાર સુધી ગોવાના ઉપમુખ્યમંત્રી રહેલા વિજય સરદેસાઈએ મીડિયામાં જણાવ્યું હતું કે તેઓ મૈત્રીપૂર્ણ રીતે આ સંકટનું સમાધાન ઈચ્છી રહ્યા છે. બીજી તરફ મુખ્યમંત્રી સાવંતે ભાજપના કેન્દ્રીય નેતૃત્વનો આ નિર્ણય હોવાની વાત કરીને પોતાના હાથ ખંખેરી લીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp