દેશનું સૌથી મોટું ઉપવાસ આંદોલન અમદાવાદમાં હાર્દિક પટેલનું હશે

PC: facebook.com/HardikPatel.Official

15 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા આમરણાંત ઉપવાસમાં હાર્દિક પટેલને ટેકો આપી ઉપવાસમાં જોડાવા માટે 4 દિવસમાં એક લાખ લોકો આવશે. જેમાં અત્યાર સુધી 2,400 જેટલા લોકોએ આમરણાંત ઉપવાસ પર બેસવા માટે હાર્દિક પટેલને ફોન કરીને અથવા રૂબરૂમાં મળીને મંજૂરી માગી છે. એક દિવસના પ્રતિક ઉપવાસમાં રોજ 5થી 7 હજાર લોકો જોડાવાના છે. તેઓ અનામતની માગણીને ટેકો આપશે. ગુજરાતના 10 તાલુકા મથકેથી લોકો આવે એવું આયોજન તારીખવાર હાર્દિક પટેલના ટેકેદારોએ નક્કી કર્યું છે.

ગુજરાતમાં આજસુધીના ઈતિહાસમાં આમરણાંત આંદોલનને જેટલો ટેકો નહીં મળ્યો હોય તેના કરતાં વધું ટેકો સમગ્ર દેશમાંથી મળશે. ભારતના ઇતિહાસમાં કલકત્તામાં મહાત્મા ગાંધીના આમરણાંત ઉપવાસ સૌથી મોટા ગણવામાં આવે છે. તે રેકોર્ડ પણ તૂટશે. દિલ્હીમાં આમ આદમી પક્ષની સરકારના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની તરફેણમાં જે રીતે લોક જુવાળ શરૂ થયો હતો, એવો જુવાળ ઊભો થશે.

દેશભરમાંથી જુદાજુદા રાજ્યોમાંથી રાજનેતાઓ અને સામાજિક આગેવાનો અને સામાન્ય લોકો હાર્દિક પટેલને ટેકો આપવા આવશે. અમદાવાદમાં કયા સ્થળે આમરણાંત ઉપવાસ હાર્દિક પટેલ કરશે તે સ્થળ હજુ જાહેર કરવામાં આવ્યું નથી.

આમરણાંત ઉપવાસ અંગે હાર્દિક પટેલે કહ્યું હતું કે, 'મારી સાથે મુંડન કરાવીને રોજ અનેક લોકો જોડાશે. માત્ર ગુજરાત જ નહીં દેશભરમાંથી લોકો જોડાશે. આમ આ આંદોલન જન આંદોલન બની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp