જાણો વિધાનસભામાં બનેલી ઘટનામાં ભરતસિંહ અને હર્ષ સંઘવીએ શું કહ્યું

PC: twitter.com/sanghaviharsh

વિધાનસભામાં બનેલી મારામારીની શરમજનક ઘટના બાદ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે, આ લોકશાહીની હત્યા છે. મારામારીની શરૂઆત ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલે કરી હતી, તેમણે સૌપ્રથમ પ્રશ્નોત્તરી દરમ્યાન પ્રતાપ દૂધાતને માઈક મારતા મામલો બિચક્યો હતો.

હર્ષ સંઘવીએ વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન થયેલી ભાજપ કોંગ્રેસ વચ્ચેની મારામારીને વિધાસભાના ઈતિહાસનો કાળો દિવસ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, આ ઘટના નિંદનિય છે. કોંગ્રેસ દ્વારા ગુંડાગીરી કરવામાં આવી રહી છે. અમે આ મામલે પોલીસ ફરિયાદ પણ કરીશું.
ગુજરાત વિધાનસભામાં મારામારી બાદના વરવા દૃશ્યો બાદ ધારાસભ્ય હર્ષ સંઘવી અને જગદીશ પંચાલને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે આપી હોવાનો આક્ષેપ છે. જેને પગલે ભાજપના ધારાસભ્યો અધ્યક્ષને રજૂઆત કરવા ગયા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp