સુરતમાં આ વ્યક્તિને CM બનાવવાના પોસ્ટર લાગ્યા

PC: khabarchhe.com

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસ બાકી છે, ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ જો જીતશે તો કોને CM બનાવશે, તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. BJP તો ફરીથી વિજય રૂપાણીને જ CM બનાવે તેવી વાત સામે આવી છે, પરંતુ કોંગ્રેસ પાસે એવો કયો ચહેરો છે, જેને CM તરીકે રજૂ કરી શકાય, તે અંગે અવઢવ છે. આ બધી બબાલ વચ્ચે સુરતમાં કોંગ્રેસ જીતે તો કોને CM બનાવવા તે અંગે પોસ્ટરો લાગ્યા છે.

સુરતના ઉધના વિસ્તારમાં કોંગ્રેસના નેતા અહેમદ પટેલના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. પોસ્ટર્સમાં અહેમદ પટેલને મુખ્યમંત્રી બનાવવાની માગ કરવામાં આવી છે. શહેરના અનેક વિસ્તારોમાં આ રીતે પોસ્ટરો લાગ્યા છે. અહેમદ પટેલના પોસ્ટરમાં રાહુલ ગાંધીનો પણ ફોટો છે. આ બેનરમાં લખવામાં આવ્યું છે કે, મુસ્લિમ એકતાને જાળવી રાખવા માટે અને અહેમદભાઈ પટેલને ગુજરાતના વઝીર-એ-આલમ બનાવવા માટે મુસ્લિમ સમુદાય ફક્ત કોંગ્રેસ પાર્ટીને જ વોટ આપે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp