અનેકવાર BJPની ટીકા કરનારા ત્રણવાર CM રહેલા નેતા ઇચ્છે છે નરેન્દ્ર મોદી બને PM

PC: indiatoday.in

સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવે લોકસભામાં પોતાના સમાપન ભાષણ દરમિયાન PM નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, PM મોદીએ હંમેશાં યોગ્ય કામ કર્યું છે. તેમણે હંમેશાં મારી મદદ કરી છે. અમે બધા ઇચ્છીએ છીએ કે નરેન્દ્ર મોદી ફરીથી પ્રધાનમંત્રી બને. આ સાથે તેમણે કહ્યું હતું કે, મારી કામના છે કે, તમામ લોકસભા સભ્યો ફરીથી ચૂંટાઇને આવે.

મુલાયમ સિંહના આ સ્ટેટમેન્ટથી બધા ચોંકી ગયા હતા. તેમના સ્ટેટમેન્ટને સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ જ ફગાવી દીધું હતું. મુલાયમ સિંહે વધુમાં એવું પણ કહ્યું હતું કે, PM મોદીએ બધાને સાથે લઇને ચાલવાની કોશિશ કરી છે. આવું બોલતા જ PM મોદીએ હાથ જોડીને સપા નેતાનું અભિવાદન કર્યું હતું. આ નિવેદન સમયે UPA અધ્યક્ષ સોનિયા ગાંધી મુલાયમ સિંહના બાજુમાં બેઠા હતા, તેઓ પણ હસવા માંડ્યા હતા.

Image result for mulayam singh modi

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp