હાર્દિક પટેલના સાથીઓને બંધ બારણે ભાજપના નેતા શું સમજાવી રહ્યા છે?

PC: khabarchhe.com

ચુંટણી સામે આવી તેના પગલે ભાજપ સરકારે પાટીદાર આંદોલન વખતે કરેલા પોલીસ કેસ પાછા ખેંચવાની શરૂઆત કરી છે. કોઈ પણ પ્રકારના સમાધાન થયા વગર ભાજપે શરૂ કરેલી કાર્યવાહી હાર્દિકને એકલો પાડી દેવાના ભાગ રૂપે હોવાનું જાણવા મળ્યુ છે.જે પાટીદારો ઉપર પોલીસ કેસ હતા, તે પોલીસ કેસને કારણે હાર્દિકનો કારણે પહેલા પ્રયાસ રૂપે જેમની ઉપર પોલીસ કેસ છે તે પાછા ખેંચી લેવામાં આવે તો હાર્દિક એકલો પડી જશે તેવા ગણિત સાથે આ કેસ પાછા ખેંચી લેવામાં આવ્યા છે.

રાજયના ગૃહરાજય મંત્રીના કહેવા પ્રમાણે રાજદ્રોહ સહિતના કેસ પાછા ખેંચવા અંગે રાજય સરકાર વિચારણા કરી રહી છે, સુત્રોના કહેવા પ્રમાણે વિચારણા માત્ર સમય કાઢવાનો ભાગ છે, જો આ દરમિયાન એકલો પડેલો હાર્દિક ભાજપ સાથે બેસવા તૈયાર થાય તો તેની સાથે સમાધાન કરવા ભાજપ સરકાર આતુર છે. આ ઉપરાંત હાર્દિકને એકલો પાડવા માટે ભાજપના દિગ્ગજ નેતા આનંદીબહેન પટેલ સહિતના નેતાઓ હાર્દિકના સાથીઓ અને પાટીદાર આગેવાનોને એકલા મળવાની શરૂઆત કરી છે. થોડા દિવસ પહેલા આનંદીબહેન વિજાપુરના પાટીદાર યુવકોને મળી આંદોલન અને હાર્દિકને છોડી દેવા માટે સમજાવવા ગયા હતા.

આજ પ્રકારે હાર્દિક સાથે સંકળાયેલા અનેક નેતાઓને ભાજપ સરકારનાં મંત્રીઓ અને પદાધિકારીઓ મળી સમજાવી રહ્યા છે, કે હાર્દિક કોંગ્રેસ સાથે મળી ગયો છે અને હાર્દિક પાટીદાર આંદોલનના નામે પોતાનો રોટલો શેકી રહ્યો છે. આમ ભાજપના એક ટોચના નેતાના કહેવા પ્રમાણે તેઓ હાર્દિકને એકલો પાડવામાં ખાસ્સા સફળ રહ્યા છે આવનાર દિવસોમાં તેની અસર પણ જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp