Z પ્લસ સિક્યોરિટી હોવા છતા કેજરીવાલને પંજાબ પોલીસની સુરક્ષા કેમ જોઇએ છે?

PC: x.com/ArvindKejriwal

દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી છે અને ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પોત પોતાની રીતે દિલ્હીના ગાદી મેળવવા માટે મહેનત કરી રહી છે. તાજેતરમાં એક મોટી ચર્ચા ઉભી થઇ છે.

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીનો સંયોજક અરવિંદ કેજરીવાલને Z પ્લસ સિક્યોરીટી મળેલી છે છતા તેમના માટે દિલ્હી પોલીસના જવાનો પણ સુરક્ષા માટે તૈનાત કરાયા હતા. પરંતુ પંજાબ પોલીસે આ સુરક્ષા પાછી ખેંચી લીધી છે.

આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે દિલ્હી પોલીસના કહેવાથી પંજાબ પોલીસની સુરક્ષા હટાવી લેવામાં આવી છે.

સવાલ એ છે કે Z પ્લસ સિક્યોરીટીમાં 60 જવાનો તૈનાત હોય છે છતા અરવિંક કેજરીવાલને પંજાબ પોલીસની સુરક્ષા શું કામ જોઇએ છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp