ચૂંટણી સમયે ફરી એક વખત યોગ ગુરુ રવિશંકર ગુજરાત આવી રહ્યા છે

PC: Tehelka.com

આધ્યાત્મિક ગુરુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાહક શ્રી શ્રી રવિશંકર દિવાળી દરમ્યાન ગુજરાત યાત્રા એ આવી રહ્યા છે. 18,19,20 ઓક્ટોબરની ત્રણ દિવસીય યાત્રા દરમ્યાન તેઓ ગુજરાત આશ્રમ- વાસદ ખાતે રોકાશે.

18 ઓક્ટોબર ના રોજ સાંજથી ગુજરાતના અગ્રણી ઉદ્યોગકારો, સમાજ ના અગ્રણીઓ, શિક્ષકો, પ્રાધ્યાપકો તથા અન્ય ડીસીશન મેકર્સ સાથે “પર્લ્સ ઓફ વિઝડમ” કાર્યક્રમ અંતર્ગત તેઓ મુલાકાત કરશે અને માર્ગદર્શન આપશે.

19 ઓક્ટોબર, દિવાળી ના દિવસે સાંજે વડોદરા- પોલો ગ્રાઉન્ડ ખાતે, આર્ટ ઓફ લિવિંગ-ગુજરાત પરિવાર દ્વારા મહા લક્ષ્મી હોમ અને દીપાવલી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આશરે 1 લાખ થી વધુ લોકો ભાગ લેશે.

20 ઓક્ટોબર – બેસતાં વર્ષના દિવસે ગુજરાત આશ્રમ – વાસદ ખાતે તેઓ સર્વે લોકો ને મળીને નવાં વર્ષની શુભેચ્છા તેમ જ આશીર્વચન આપશે.

ચૂંટણી જાહેર થાય તે પહેલાં તેઓ ગુજરાતમાં આવી રહ્યાં છે. આ અગાઉ પણ જ્યારે ચૂંટણી આવતી રહી છે ત્યારે તેઓ ગુજરાત આવતાં રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp