રૂપાલાને બદલો, નહીં તો અમે વિરુદ્ધમાં મતદાન કરીશું. ક્ષત્રિય સમાજનો હુંકાર
ભાજપના લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રાજકોટમાં આપેલું એક નિવેદન ભારે પડી રહ્યું છે. ક્ષત્રિય સમાજનો ગુસ્સો હજુ શાંત પડ્યો નથી. ગુરુવારે અમદાવાદમાં રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં પરષોત્તમ રૂપાલાનો બહિષ્કાર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સમાજે કહ્યું કે રૂપાલાને બદલો, નહીં તો અમે વિરુદ્ધમાં મતદાન કરીશું અને