ઈન્ડિયન નેવીની ટીમે રાજકોટમાં વહેણમાં તણાયેલી કારને શોધી, કલેક્ટરે વખાણ કર્યા

PC: khabarchhe.com

સરકારે જણાવ્યું હતું કે, તા. 13મી ના રોજ ભારે વરસાદને કારણે રાજકોટ જિલ્લામાં નદીઓ માં આવેલા ધોડાપુરમાં ફસાયેલા લોકોને બચાવ માટે જીલ્લા વહિવટીતંત્ર દ્વારા તવરીત કામગીરી કરાઇ હતી. લોધીકા તાલુકાના છાપરા ગામે નદીના વહેણમાં તણાયેલી કાર અને તેમાં પ્રવાસ કરતા વ્યક્તિઓની ભાળ મેળવવામાં ત્વરીત રીસપોન્સ સાથે સતત કાર્યરત રહેલ પોરબંદર નેવીના ક્લિયરન્સ અને ડાઇવીંગ ટીમની કામગીરીને કલેકટર અરુણ મહેશ બાબુએ બિરદાવી હતી.

બનાવની વિગતો મુજબ તા. 13મી એ ભારે વરસાદને પગલે રાજકોટ જિલ્લાના વિવિધ નદીઓમાં ધોડપુર સમા પાણી વહેતા હતા. રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના છાપરા ગામ પાસેથી પસાર થતી રાજકોટના ઉદ્યોગપતિ અને પેલીકન કંપનીના માલીક એવા કિશન શાહ, ડ્રાઇવર તથા અન્ય વ્યકતિ નદીના વહેતા પાણીમાં કાર સાથે તણાયાની માહિતી મળતા કલેકટર અરુણ મહેશ બાબુએ ત્વરીત એકશન લઇને ઈન્ડિયન નેવીના ગુજરાત એરીયાના ફલેગ ઓફીસર રીઅર એડમીરલ પુરૂવિર દાસને મદદ માટે ટીમની માંગ કરી હતી. બનાવને ધ્યાને લઇને તુરત જ પોરબંદર નેવીની ચીફ ડાઇવીંગ સાથેની ક્લિયરન્સ અને ડાઇવીંગ ટીમ રાજકોટ ખાતે રવાના કરી હતી.

19 સભ્યો સાથેની આ ટીમ રાત્રે 12 વાગ્યે રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા. તા. 14મી એ સવારે 6-00 કલાકે આ ટીમે ઘટના સ્થળે પહોંચી પ્રાંત અધિકારી વિરેન્દ્ર દેસાઇના માર્ગદર્શન હેઠળ તુરત તેમના સાધનો સાથે તણાયેલી કાર અને વ્યક્તિઓની ભાળ માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું. રોપ (દોરડા) સાથે ખાસ પ્રકારના હુક ગોઠવી આધુનીક ટેકનીક દ્વારા પ્રથમ કાર અને ત્યારબાદ કિશન શાહનો મૃતદેહ બહાર કાઢયો હતો.

તણાયેલી કાર અને વ્યકતિની ભાળ મેળવવાની કામગીરમાં ત્વરીત રીસ્પોન્સ માટે પોરબંદર નેવીના ક્લિયરન્સ અને ડાઇવીંગ ટીમની કામગીરીને કલેકટર અરુણ મહેશ બાબુએ બિરદાવી હતી.

રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વિવિધ જળાશયોમાં આવેલ નવા નીર

રાજકોટ જિલ્લાના વિવિધ જળાશયોમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ પડતા નવા નીરની આવક થયેલી છે, જે મુજબ ભાદર ડેમમાં 1.64 ફૂટ, આજી – 1 ડેમમાં 0.16 ફૂટ, આજી – 3 ડેમમાં 0.49 ફૂટ, સુરવો ડેમમાં 2.62 ફૂટ, ગોંડલી ડેમમાં 0.82 ફૂટ, ન્યારી -1 ડેમમાં 0.33 ફૂટ, ઈશ્વરીયા ડેમમાં 1.64 ફૂટ, કરમાળ ડેમમાં 5.91 ફૂટ, કર્ણકી ડેમમાં 0.66 ફૂટ સાથે રાજકોટ જિલ્લાના ભરાયેલા જળાશયોમા સરેરાસ 80.63 % પાણી (21319 મી.ક્યુ. ફીટ) પ્રવર્તમાન સ્થિતિએ ઉપલબ્ધ હોવાનું રાજકોટ સિંચાઈ વર્તુળની યાદીમાં જણાવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp