અમરેલીમાં દેવું વધી જતાં દંપતીએ ઝેર પીધું, પતિ બાદ પત્નીનું પણ મોત

PC: suicide

અમરેલી જિલ્લાનાં ચાંદગઢ ગામનાં ખેડૂત દંપતીએ એક અઠવાડિયા પહેલા ઝેરી ગટગટાવી લેતાં પતિના મોત થયા બાદ તેમનાં પત્‍નીનું પણ મોત થયું છે. લાભુબેન ભરતભાઈ ખુમાણ નામનાં 42 વર્ષના મહિલાનાં પતિએ ઝેરી દવા પી લેતાં તેમનું મૃત્‍યુ થયું હતું.

ગાંધીનગર ખાતે હાર્દિક પટેલ ખેડૂતોના દેવા માફ કરવાને લઈ ઉપવાસ કર્યા તે જ દિવસે આ ખેડૂતે લીધેલી લોન ભરપાઈ નહીં કરી શકવાના કારણે આત્‍મહત્‍યા કરી હતી. કપાસનો પાક નિષ્ફળ જવાના કારણે અને લીધેલી લોન ભરપાઈ થઈ શકે તેમ ન હોવાના કારણે આપઘાત કરી લીધો હતો. જ્યારે તેમના પત્નીએ પણ ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્‍યા હતા.

આ બનાવમાં પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ અમરેલી તાલુકાના ચાંદગઢ ગામે રહેતા અને ખેતીકામ કરતા ભરતભાઈ ધીરૂભાઈ ખુમાણ નામના 48 વર્ષીય ખેડૂતે પોતાના ખેતીના કામ માટે થઈ વિવિધ લોન લીધી હોય અને પાક સારો આવશે એટલે ભરપાઈ કરી દેશું તેવી આશા હતી. ત્‍યારે પોતાની ખેતીમાં વાવેલા કપાસનો પાક નિષ્ફળ જતા અને હવે પોતે લીધેલી લોન ભરપાઈ કરી શકે તેમ ન હોય, જેથી તેમણે ઝેરી દવા પી લીધી હતી. તેથી તેમને સારવાર માટે અમરેલીના ખાનગી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp