પોલીસ સ્ટેશનમાંથી ફરાર આરોપીની મળી લાશ, પોલીસે હત્યા કર્યાનો પરિવારજનોનો આક્ષેપ

PC: madhyamam.com

અમરેલીના જાફરાબાદના નાગેશ્રી પોલીસ મથકેથી ફરાર થયેલો ચોરીના આરોપીની સંબંધીની વાડીમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચક્ચાર મચી ગઈ છે. પોલીસે માર મારીને તેની હત્યા કરી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. આ બનાવને પગલે કોળી સમાજના આગેવાનો સ્થળ પર દોડી ગયા હતા.

પ્રાપ્ત જાફરાબાદના નાગેશ્રીમમાં ભગાભાઈ દેવહીભાઈના ઘરે ઘરફોડ ચોરી થઈ હતી. આ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી હતી. દરમિયાન પોલીસે આ કેસમાં નાગેશ્રીના જ લાલા ભીમાભાઈ રાઠોડ નામના કોળી યુવાનની પોલીસે અટકાયત કરી હતી. રાત્રિના સમયે યુવાન પોલીસ સ્ટેશનમાંથી પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો.

બીજા દિવસે સવારે મીઠાપર ખાતે આવેલી વાડીની ઓરડીમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં તેની લાશ મળી આવી હતી. જેના કારણે સમગ્ર બાબરીયાવાડમાં ખળભળાટ મચી ગયો હતો. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે માર મારીને યુવાનની હત્યા કરી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp