પાટીદાર દીકરી કાંડ: પોલીસે પાયલ ગોટી વિશે શું કબુલ્યું

PC: Khabarchhe.com

અમરેલીમાં 27 ડિસેમ્બરે પાટીદાર દીકરી પાયલનો પોલીસે વરઘોડો કાઢયાની ઘટનાના આખા ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને આ ઘટનાની તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલના DIG નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કરના અહેવાલમાં દાવો કરાયો છે કે આ રિપોર્ટની માહિતી દિવ્ય ભાસ્કર પાસે આવી છે. નિર્લિપ્ત રાયનો રિપોર્ટ હજુ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયને સોંપાયો નથી.

નિર્લિપ્ત રાયે 16 લોકોના નિવેદન લીધા હતા જેમાં પોલીસે કહ્યું હતું કે, મેડિકલ રિપોર્ટમાં પાયલને માર માર્યાનું સામે આવ્યું નથી. પરંતુ પોલીસે મૌખિક રીતે કબુલાત કરી છે કે પાયલને માર મારવામાં આવ્યો હતો. હવે સવાલ એ છે કે જો પોલીસે માર મારવાની સાબિત થાય તો રાજ્યમાં પોલીસનો વરઘોડો નિકળશે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp