સૌરાષ્ટ્રને પણ મળશે વંદે ભારત ટ્રેન, ડબલ ટ્રેકની કામગિરી બાદ આ રુટ પર શરૂ થશે

PC: khabarchhe.com

સૌરાષ્ટ્રમાં રેલ્વેની સુવિધા સતત વધારવામાં આવી રહી છે ત્યારે વંદે ભારતની સુવિધા પણ આગામી સમયમાં સૌરાષ્ટ્રમાં શરૂ થશે. વંદે ભારત ટ્રેનની સુવિધા આગામી જૂન સુધી શરૂ થાય તેને લઈને પ્રયાસો તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે. રાજકોટના સાંસદ મોહન કુંડારીયાએ કેન્દ્રીય રેલ્વે મંત્રીને મેમોરેન્ડમ આપ્યું છે. વંદે ભારત ટ્રેનને મળી રહેતા પ્રતિસાદને જોતા તેના પ્રોડક્શનમાં વધારો કરવામાં આવી રહ્યો છે.

રાજકોટ અને સુરેન્દ્રનગર વચ્ચે એક જ ટ્રેક હોવાથી સૌરાષ્ટ્રને ટ્રેનની વધુ સુવિધા મળતી નથી પરંતુ ડબલ ટ્રેક બનાવવાની કામગિરી થઈ રહી છે. ડબલ ટ્રેકનું કામ પૂર્ણ થતાં જ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રને વધુ ટ્રેનો ફાળવવામાં આવે તેવી દરખાસ્ત કરવામાં આવી છે.

વંદેભારત ટ્રેનને દેશભરમાંથી સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. ડબલ ટ્રેકનું કામ પૂર્ણ કરવામાં આવશે ત્યારે રાજકોટને પણ અન્ય રુટની જેમ જ વંદે ભારત ટ્રેનનો લાભ મળશે. સમગ્ર ભારતમાં વંદે ભારત ટ્રેનની માંગ કરાઈ રહી છે. તેમાં પણ ગુજરાતમાં અમદાવાદથી મુંબઈ વચ્ચેની વંદે ભારત ટ્રેન સફળ રહી છે જ્યાં દરરોજ વેઈટીંગ જોવા મળી રહ્યું છે.

વંદે ભારત ટ્રેન દેશમાં શરૂ થયાને 4 વર્ષ થયા છે. દેશમાં 10 વંદે ભારત ટ્રેન દોડી રહી છે. ગુજરાતમાં અમદાવાદ મુંબઈ બાદ અમદાવાદ ઉદયપુર પણ ટ્રેનની શરૂઆત આગામી સમયમાં થવાને લઈને કવાયત હાથ ધરાઈ છે. અત્યારે 108 જિલ્લામાં 17 રાજ્યોમાંથી પસાર થાય છે. આવનાર દિવસોમાં 75 જેટલી વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp