ક્ચ્છના 23 ગામોમાં હિંદુઓની વસ્તી કેમ ઘટી રહી છે?

PC: twitter.com

ગુજરાતના કચ્છમાં છેલ્લાં ઘણા સમયથી હિંદુઓની વસ્તીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કચ્છમાં 23 ગામોમાં હિંદુઓની વસ્તી હતી. તેમાં પણ 6 ગામો એવા છે કે જ્યાં હવે એક પણ હિંદુ પરિવાર વસતો નથી. નાના ભાગરા, ભટ્ટાવાંઢ, મોટા ગુગરીયાણા, નાના ગુગરીયાણા, મેડી અને ભંગાડીવંઢમાં એક પણ હિદુ પરિવાર નથી રહેતો.

કચ્છમાં હિંદુઓની વસ્તી ઘટવાને કારણે ઘણી બધી સંસ્થાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને વિનંતી કરી છે કે, દેશની સુરક્ષા જોખમાય તેવી સ્થિતિનું નિમાર્ણ થઇ રહ્યું છે. કચ્છથી પાકિસ્તાન બોર્ડર એકદમ નજીક છે.

કચ્છથી હિંદુઓ એટલા માટે પલાયન થઇ રહ્યા છે કે તેમના સંતાનોના લગ્ન નથી થઇ રહ્યા. કોઇ છોકરી ગામડે આવવા તૈયાર નથી. બીજું કારણ એ છે કે, કચ્છમાં ધંધા-રોજગાર નથી માત્ર પશુપાલન છે એટલે લોકો પલાયન કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp