મંદીની અસર: રત્નકલાકારોના 603 બાળકોનું ભણતર જોખમમાં, LC લઇ લીધા

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 2 વર્ષથી કારમી મંદી ચાલી રહી છે અને હવે તો આ ઉદ્યોગ મંદીના અજગર ભરડામાં આવી ગયો છે.જેને કારણે સૌથી વધારે અસર રત્નકલાકારોને થઇ રહી છે. લાંબા દિવસો પછી હીરાઉદ્યોગમાં વેકેશન પુરુ થયું, પરંતુ એક ચોંકાવનારી વાત સામે આવી છે.

વરાછા વિસ્તારની સુરત નગર પ્રાથમિક શાળાની 50 શાળાઓમાંથી 603 વિદ્યાર્થીઓને ઉઠાડી લેવાયા છે. તેમના વાલીઓએ શાળામાંથી LC લઇ લીધા છે. આ રત્નકલાકારોની હાલત એટલી કફોડી થઇ ગઇ છે કે, મફત શિક્ષણ મળે તો પણ તેમના બાળકોને ભણાવી શકે તેવી સ્થિતિ નથી. મંદીને કારણે રત્નકલાકારોના બાળકોનું ભણતર જોખમમાં આવી ગયું છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડીયાએ કહ્યું હતું કે, રત્નકલાકારો તેમના બાળકોના LC કેમ લઇ ગયા તેનો રિપોર્ટ મંગાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp