વર્લ્ડ કપઃ 15 ખેલાડી સિવાય આ 4 ખેલાડી પણ ભારતીય ટીમ સાથે ઇંગ્લેન્ડ જશે
ઇંગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થઇ ગઇ છે. BCCIએ 15 ખેલાડીઓની ટીમની જાહેરાત કરી દીધી છે, પરંતુ આ 15 ખેલાડીઓ સાથે અન્ય બીજા 4 ભારતીય ખેલાડીઓ પણ ઇંગ્લેન્ડ જવાના છે. આ ચાર ખેલાડીના નામ છે ખલીલ અહમદ, આવેશ ખાન, દીપક ચહર અને નવદીપ સૈની. આ ચાર ફાસ્ટ બોલર નેટ સિલેક્ટ થયેલી ભારતીય ટીમ પ્રેક્ટિસ કરી શકે તેના માટે ઇંગ્લેન્ડ જવાના છે.
BCCIએ સોમવારના રોજ આ જાણકારી આપી હતી. BCCIએ પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું, આ ખેલાડી વિશ્વ કપની તૈયારીમાં ભારતીય ટીમની સહાયતા કરશે. સોમવારના રોજ આ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરીને મુખ્ય ચયનકર્તા એમ.એસ.કે પ્રસાદના નેતૃત્વમાં વર્લ્ડ કપ ટીમની જાહેરાત કરવામાં આવી હતી, જે આ પ્રમાણે છે.
- વિરાટ કોહલી(કેપ્ટન)
- રોહિત શર્મા(વાઇસ કેપ્ટન)
- શિખર ધવન
- કે.એલ.રાહુલ
- વિજય શંકર
- મહેન્દ્ર સિંહ ધોની
- કેદાર જાધવ
- દિનેશ કાર્તિક
- યઝુવેન્દ્ર ચહલ
- કુલદીપ યાદવ
- ભુવનેશ્વર કુમાર
- જસપ્રીત બૂમરાહ
- હાર્દિક પંડ્યા
- રવિન્દ્ર જાડેજા
- મોહમ્મદ શામી
ટીમ સાથે જનારા આ ચારેય ફાસ્ટ બોલર હાલમાં IPLમા રમી રહ્યા છે. ખલીલ અને આવેશ પાસે સારી સ્પીડ છે, જેનો ફાયદો ટીમ ઇન્ડિયાને નેટ પ્રેક્ટિસ દરમિયાન મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp