ગંભીરના મતે કોહલી કરતા આ બેટ્સમેન છે શ્રેષ્ઠ ODI ખેલાડી

PC: dnaindia.com

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પહેલી વન-ડેમાં ભારતીય ટીમને 34 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં રોહિત શર્માએ શાનદાર 133 રન ફટકાર્યા હતા, પરંતુ તેની ઇનિંગ કામ નહોતી આવી. કારણ કે તેને કોઇ સાથ આપનારું નહોતું મળ્યું. રોહિત શર્માની વન-ડેમાં આ 22મી સદી હતી. ભારતની ટીમ ભલે મેચ ન જીતી શકી હોય, પરંતુ રોહિત શર્માની બેટિંગે બધાનું દિલ જીતી લીધું છે.

રોહિત શર્માને લઇને પૂર્વ સ્ટાર પ્લેયર ગૌતમ ગંભીરે પણ એક સ્ટેટમેન્ટ આપ્યું હતું, જેનાથી ઘણા લોકો ચોંકી ગયા હતા. ગંભીરનું માનવું છે કે, વન-ડે ક્રિકેટમાં રોહિત શર્મા વિરાટ કોહલીથી શ્રેષ્ઠ બેટ્સમેન છે. પહેલી વન-ડેમાં બાદ ગંભીરે આ વાત કમેન્ટ્રી દરમિયાન કરી હતી. ગંભીરે કહ્યું હતું કે, જ્યારે સફેદ બોલની વાત આવે તો રોહિત શર્મા બેસ્ટ બેટ્સમેન છે.

આ સાથે જ ગંભીરે એવું પણ કહ્યું હતું કે, 2 વર્ષથી રોહિત શર્મા કમાલનું પ્રદર્શન કરી રહ્યો છે અને ઘણા રન બનાવી રહ્યો છે. ગૌતમ ગંભીરે વધુમાં કહ્યું હતું કે, રોહિત શર્મા પોતાના કરિયરના શ્રેષ્ઠ ફોર્મમાં છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp