રોહિતે કેમ ન કરી પોતાની 17મી સદીની ઉજવણી
સાઉથ આફ્રિકા સામેની પાંચમી વન-ડેમાં ભારતને જીત અપાવનાર હિટમેન રોહિત શર્માએ આ મેચમાં પોતાની સદી દરમિયાન કોઈ ઉજવણી નહોતી કરી, જેનું કારણ છે વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે. સ્વાભાવીક છે કે, સદી ફટકારનાર બેટ્સમેન પોતાની રીતે મેદાન પર ઉજવણી કરતો હોય છે, પરંતુ પોતાની 17મી સદી પર રોહિત શર્માએ કોઈ ઉજવણી નહોતી કરી અને ક્રીઝ પર શાંતિથી ઉભો હતો.
Congratulations to @ImRo45 on his 17th ODI century! It's his first in South Africa! 👏 #SAvIND pic.twitter.com/8JSSxzdYB1
— ICC (@ICC) February 13, 2018
આનું કારણ રોહિતે જણાવ્યું હતું કે, વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે આઉટ થયા બાદ મારા પર દબાણ હતું અને હું મારી લયને જાળવી રાખવા માગતો હતો. મારું ધ્યાન મેદાન પર ટકી રહેવા પર હતું. ઉલ્લેખનીય છે કે, રોહિત શર્મા સાથેની ગેરસમજને કારણે વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે રનઆઉટ થઈ ગયા હતા.
રોહિતે કહ્યું હતું કે, મારા પહેલા બે ખેલાડી રનઆઉટ થઈ ગયા હતા. એટલે ઉજવણી કરવાની કોઈ વાત જ નહોતી. ઉજવણી કરવી એ તમારા મૂડ પર આધાર રાખે છે. પરંતુ બે બેટ્સમેનના આઉટ થવાથી હું મારી લયને જાળવી રાખવા માગતો હતો અને ઉજવણીનો વિચાર મારા મગજમાં જ નહોતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp