બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન

PC: bcci.tv

વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ શુક્રવારથી શરૂ થનારી બીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમના 12 ખેલાડીની જાહેરાત કરી દેવામાં આવી છે, જેમાં ફરીએકવાર મયંક અગ્રવાલને સ્થાન આપવામાં આવ્યું નથી અને છેલ્લા કેટલાય સમયથી નિષ્ફળ નિવડેલા કે.એલ.રાહુલને ફરીએકવાર સ્થાન આપવામાં આવ્યું છે. એટલે કે, ટૂંકમાં કહીએ તો બે ટેસ્ટ મેચોની સીરિઝની છેલ્લી ટેસ્ટ માટે કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. ઓલરાઉન્ડર હનુમા વિહારી, ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ સિવાય મયંક અગ્રવાલને પણ બીજી ટેસ્ટમાં સ્થાન મળશે, તેવી વાતચીત ચાલી રહી હતી, પરંતુ સિલેક્ટરોએ કોઈ ફેરફાર ટીમમાં કર્યો નથી.

બીજી ટેસ્ટ માટે આ છે 12 ખેલાડી

વિરાટ કોહલી

કે.એલ.રાહુલ

પૃથ્વી શૉ

ચેતેશ્વર પૂજારા

અજિંક્ય રહાણે

રિષભ પંત

રવિચંદ્રન અશ્વિન

રવિન્દ્ર જાડેજા

કુલદીપ યાદવ,

મોહમ્મદ શમી

ઉમેશ યાદવ

શર્દૂલ ઠાકુર

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp