વિરાટની મદદે આવ્યો ખાસ દોસ્ત, જેણે અગાઉ પણ ખરાબ ફોર્મમાંથી બહાર કાઢ્યો હતો
ઓસ્ટ્રેલિયામાં ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શને ભારતીય ચાહકોને ખૂબ જ નિરાશ કર્યા છે. 'કિંગ કોહલી' કે 'હિટમેન રોહિત' બંનેમાંથી કોઈ પણ ઓસ્ટ્રેલિયન બોલિંગ આક્રમણ સામે ટકી શક્યા નહોતા. ઘર આંગણાની સીરિઝમાં ન્યુઝીલેન્ડના હાથે 'વ્હાઈટવોશ'નો સામનો કર્યા પછી ઓસ્ટ્રેલિયા ગયેલા ભારતીય દિગ્ગજો કંઈ ખાસ કરી શક્યા ન હતા અને ચાહકોના નિશાન પર આવ્યા હતા. વિરાટ કોહલીએ 9 ઇનિંગ્સમાં માત્ર એક જ વખત ત્રણ અંક (100*) બનાવ્યા. સૌથી મોટી વાત એ છે કે, આ સમયગાળા દરમિયાન તે પોતાની વિકેટો એક જ પ્રકારે ગુમાવતો રહ્યો.
કોહલી અને રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા, જેના કારણે ભારતને 5 મેચની આ શ્રેણીમાં 1-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. કોહલીએ આ શ્રેણીની 9 ઇનિંગ્સમાં માત્ર 190 રન બનાવ્યા હતા. તે દર વખતે ઓફ સ્ટમ્પની બહાર જતા બોલને રમવાનો પ્રયાસ કરતી વખતે આઉટ થયો હતો. કોહલીને આ ખરાબ તબક્કામાંથી બહાર કાઢવા માટે તેનો મિત્ર AB De વિલિયર્સ ફરી એકવાર આગળ આવ્યો છે.
દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી AB De વિલિયર્સે તેના ભૂતપૂર્વ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટીમના સાથી વિરાટ કોહલીને ખરાબ ફોર્મમાંથી બહાર આવવા માટે તેનું દિમાગ 'રીસેટ' કરવાની અને મેદાન પર કોઈપણ પ્રકારના વિવાદમાં પડવાનું ટાળવા માટે સલાહ આપી છે. હકીકતમાં જોવામાં આવ્યું છે કે, જ્યારે પણ વિરાટ કોહલીની તેના ફોર્મને કારણે ટીકા થઈ છે, ત્યારે AB De વિલિયર્સે તેને સાથ આપ્યો છે.
Edged and caught behind the wicket, all of Virat Kohli's dismissals this series have had a common theme #AUSvIND pic.twitter.com/5mz5SGcAbh
— 7Cricket (@7Cricket) December 30, 2024
AB De વિલિયર્સે X પર કહ્યું, 'હું માનું છું કે દરેક વખતે તમારું મન ફરીથી સેટ કરવું જરૂરી છે. મને લાગે છે કે વિરાટ મેદાન પર લડાઈમાં સામેલ થઈ જાય છે. આ તેની સૌથી મોટી તાકાત છે અને તે તેની નબળાઈ પણ હોઈ શકે છે. આ શ્રેણી દરમિયાન, અમે જોયું કે કેટલાક ખેલાડીઓ સાથે તેની અંગત લડાઈ થઈ હતી અને પ્રેક્ષકો તેને પરેશાન કરે છે. વિરાટને લડાઈ પસંદ છે, પરંતુ જ્યારે તમે તમારા જીવનના શ્રેષ્ઠ ફોર્મમાં ન હોવ, ત્યારે તે વસ્તુઓથી તમારે દૂર રહેવું એજ તમારા માટે સારું છે. એક બેટ્સમેન તરીકે તમારી જાતને ફરીથી તૈયાર કરવી મહત્વપૂર્ણ હોય છે. દરેક બોલ મહત્વનો હોય છે, પછી ભલે બોલર કોઈ પણ હોય.'
આ પહેલીવાર નથી જ્યારે AB De વિલિયર્સે કોહલીને ફોર્મમાં પરત ફરવા માટે પોતાનું દિમાગ લગાવ્યું હોય. ઈંગ્લેન્ડના 2021ના ભારતના પ્રવાસ દરમિયાન, કોહલીએ ટેસ્ટ શ્રેણીમાં બરાબર બેટિંગ કરી ન હતી અને તે 4 ટેસ્ટ મેચની 6 ઇનિંગ્સમાં 172 રન બનાવવામાં સફળ રહ્યો હતો. આ પછી, તે T20 શ્રેણીની પહેલી જ મેચમાં શૂન્ય (0) પર પાછો ફર્યો. કોહલી પોતાના ફોર્મને લઈને ઘણો ચિંતિત હતો. તેણે પોતાનું ફોર્મ પરત મેળવવા માટે AB De વિલિયર્સ સાથે વાત કરી હતી.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ટ્વિટર હેન્ડલ પર જાહેર કરવામાં આવેલા વીડિયોમાં AB De વિલિયર્સને આ વિશે પૂછવામાં આવ્યું હતું. ત્યારે AB De વિલિયર્સે કહ્યું હતું કે તેણે કોહલીને ચાર પોઈન્ટ પર કામ કરવા કહ્યું હતું.
Australia have won the #BGT to book a spot in the #WTCFinal against my Proteas. Hop on to today's #360Live and let's talk about what went wrong for India and what else is on in the world of cricket... https://t.co/OydSB92xZE
— AB de Villiers (@ABdeVilliers17) January 5, 2025
તેણે કહ્યું હતું કે, 'હું આ કહેવા માંગતો નથી. આ શરમજનક છે. કદાચ મેં ચાર મુદ્દા વિશે કહ્યું. અમે સ્પોર્ટ્સ સિવાય અન્ય ઘણા મુદ્દાઓ વિશે વાત કરી. ઘણા ટેકનિકલ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ આ બધું તદ્દન મૂળભૂત હતું.'
AB De વિલિયર્સે કહ્યું હતું કે, 'મેં તેને ચાર મુદ્દાઓ કહ્યા હતા, બોલ જુઓ, માથું સીધુ રાખો, બોલને તમારી જગ્યામાં આવવા દો અને તે જોઈને (બોડી લેંગ્વેજ અને એટિટ્યુડ) રમો.'
AB De વિલિયર્સની સલાહ પછી જ કોહલીએ આગલી મેચમાં અણનમ 73 રન બનાવ્યા અને ભારતને મુલાકાતી ટીમ સામે 165 રનનો લક્ષ્યાંક હાંસલ કરવામાં મદદ કરી અને શ્રેણી 1-1થી બરાબર કરી. તેણે 5મી અને અંતિમ T20 મેચમાં 52 બોલમાં 80 રન ફટકારીને ભારતને 3-2થી શ્રેણી જીતવામાં મદદ કરી હતી. ઈંગ્લેન્ડના તે પ્રવાસની આગામી શ્રેણી (ત્રીજી ODI)માં કોહલીની 71મી આંતરરાષ્ટ્રીય સદીની રાહ જોવાનું ચાલુ રહ્યું, પરંતુ તે ફરીથી બે વખત પચાસથી વધુ રન બનાવવામાં સફળ રહ્યો.
Bold Diaries: AB de Villiers interview Part 2
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 16, 2021
AB de Villiers talks about the message he sent to Virat Kohli during the India England series, the youngsters who have impressed him at RCB, and much more on @myntra presents Bold Diaries.#PlayBold #WeAreChallengers #IPL2021 pic.twitter.com/m9XMGpefqg
હવે ટીમ ઈન્ડિયાને ઘરઆંગણે ઈંગ્લેન્ડનો સામનો કરવાનો છે. કોહલી પાસે ત્રણ ODI મેચોની શ્રેણી છે (6, 9, 12 ફેબ્રુઆરી). અંગ્રેજો સામેની આ મેચોમાં સારો દેખાવ કરીને કોહલી માટે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ફોર્મમાં પરત ફરવાની મોટી તક છે. ભારત 20 ફેબ્રુઆરીએ દુબઈમાં ODI ફોર્મેટમાં રમાતી ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટમાં તેના અભિયાનની શરૂઆત કરશે, જ્યારે તેનો સામનો બાંગ્લાદેશની ટીમ સાથે થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp