‘હમારા મિથ તુટ ગયા, સિવિલ લાસ્ટ ઓપ્શન નહિ બલ્કે ફર્સ્ટ ઓપ્શન હોના ચાહિયે’

PC: Khabarchhe.com

હમારે દિમાગ મેં સિવિલ કે બારે મે ઐસી ઇમેજ હૈ કી વહાં જરૂરિયાતમંદ લોગ હી સારવાર લેતે હૈ, ઔર સિવિલ હંમેશા લાસ્ટ ઓપ્શન રહેતા હૈ... આ ઇમેજ સાથે મૂળ સિરસાના (રાજસ્થાન) અને રાજકોટને છેલ્લા 22 વર્ષથી કર્મભૂમિ બનાવી ચૂકેલા બિયાની દંપતીને કોરોના થયા બાદ છેલ્લા ઓપ્શન તરીકે સિવિલમાં દાખલ થવું પડ્યું હતું. સમરસ ખાતે 14 દિવસની સારવાર બાદ સિવિલ હોસ્પિટલ છેલ્લો નહીં પરંતી પહેલો ઓપ્શન હોવો જોઈએ તેવી સિવિલની છાપ સાથે સ્વસ્થ થઈ ઘરે પાછા જતી વેળાએ દરેકે ખાનગી દવાખાનામાં સારવારના બદલે સિવિલ ખાતે સારવાર લેવી જોઈએ તેવો મારવાડી પરિવારે અનુરોધ કર્યો હતો.

78 વર્ષીય પવનભાઈ બિયાની આજી વસાહતમાં મશીન ટુલ્સના ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. ગત તા. 15ના તેઓ કોરોના પોઝિટિવ આવ્યા. બીજા દિવસે તેમના પત્ની અંજનાબેનને પણ કોરોના થયો. ઓક્સિજન લેવલ ઘટતા ખાનગી હોસ્પિટલમાં બેડ મળવાની શક્યતા નહિવત હોવાનું માલુમ પડતા મને-કમને સિવિલમાં દાખલ થયા. અહીથી તેમને સારવાર અર્થે સમરસ કોવીડ હેલ્થ સેન્ટર ખાતે રીફર કરાયા. જ્યા ડોક્ટર્સની ટીમ દ્વારા તેમની સઘન સારવાર ઉપરાંત વિવિધ પ્રવૃત્તિ કરાવવામાં આવતી. સારવારથી સંતુષ્ટ પવનભાઈ જણાવે છે કે, મેં મારી જિંદગીમાં આટલી સારી સારવાર જોઈ નથી. સમગ્ર સ્ટાફ અમારો ખુબ ખ્યાલ રાખતો. સરકારી તંત્ર દ્વારા સિસ્ટેમેટિક કામગીરી અને પોઝિટિવ એપ્રોચથી અમે લોકો સાજા થયા છીએ.

તેમના પત્ની અંજનાબેન રજા લેતી વેળાએ ખુબ જ ભાવુક બની બધાનો આભાર માનતા જણાવે છે કે, મેરે પાસ શબ્દ નહિ હે, ઈન લોગોને જિસ તરહ પ્રેમ ભાવ સે સારવાર કી હૈ, ધન્યવાદ સબ છોટા હે ઈન લોગો કે લિયે.... હું મોતના મુખમાંથી બહાર નીકળી છું. અહીં સુવિધાઓ, સ્ટાફની લાગણી, ફીઝયોથેરાપિસ્ટ, ડોક્ટર્સ બધાએ પરિવારની વિભાવના સાથે મદદરૂપ બની અમને નવું જીવન આપ્યું છે.

હમારી ગવર્મેન્ટ અચ્છા કામ કર રહી હૈ, ઉનકો દોષ મત દો, હમે અપને આપકો બદલને કી જરૂરત હૈ આવા સમયે કોઈને દોષ દેવાનું નહિ પરંતુ સરકાર જે કરી રહી છે તેની દિલથી સરાહના કરવી જોઈએ તેમ અંજનાબેન કૃતજ્ઞભાવ વ્યક્ત કરતા વિનંતી કરે છે. પવનભાઈ બિયાનીના પુત્રવધુ સ્વાતિબેન બિયાની હિન્દી તેમજ ઈંગ્લીશમાં તેમના પરિવારને મળેલ સારવાર સુવિધાનો અનુભવ જણાવતા કહે છે કે, અહીં જે સારવાર અને કમ્યુનિકેશન રિસ્પોન્સ અમને મળ્યો છે તે અમે કલ્પનામાં પણ વિચાર્યો ના હોય તેવો હતો.

અહીં દર્દીને એક પણ મિનિટ માટે ઓક્સિજન કે ઇન્જેક્શનની કમી પાડવા દીધી નથી. સ્વાતિબેન વધુમાં જણાવે છે કે, અમે રાત્રે 11 વાગ્યે દર્દીની તબિયત અંગે ડોક્ટરને પર્સનલી ફોન કરી પૂછયે તો પણ યોગ્ય જવાબ અમને મળ્યો છે. ખાનગી હોસ્પિટલમાં ઇન્જેક્શન અને ઓક્સિજન માટે દર્દીના પરિવારે મહેનત કરવી પડે છે, જયારે અમને અહીં કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવા માટે જણાવાયું નથી. અને તે પણ એક પણ રૂપિયો લીધા વગર...

સૌ અધિકારીઓ અને ડોક્ટર્સનો આભાર માની રાજસ્થાની પરિવાર ગુજરાતમાં મળેલી ઉત્તમ સારવારથી ધન્યતાની લાગણી અનુભવતા ઉમેરે છે કે સિવિલ એ છેલ્લો નહિ પરંતુ પહેલો ઓપ્શન હોવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp