શું તમે ફિલ્મ ‘તાન્હાજી’ના પોસ્ટરમાં કાજોલનું આ નવું રૂપ જોયું?

PC: jagran.com

લાંબા સમયના બ્રેક પછી બોલિવુડ કપલ અજય દેવગન અને પત્ની કાજોલની ફિલ્મ આવી રહી છે. 'તાન્હાજી' ફિલ્મમાં અજય અને કાજોલ સાથે જોવા મળશે. આ ફિલ્મનું ટીઝર રીલિઝ થઈ ચૂક્યું છે. આવનારા સમયમાં ટ્રેલર રીલિઝ થશે. ફિલ્મ રીલિઝ પહેલા અજય દેવગનનું એક પોસ્ટર સામે આવ્યું હતું. આ ફિલ્મને લઈને હવે કાજોલનું પોસ્ટર સામે આવ્યું છે. જેમાં કાજોલનો દમદાર લુક જોવા મળ્યો છે. આ ફિલ્મમાં તે સાવિત્રીબાઈનો રોલ પ્લે કરી રહી છે. આ સિવાય સૈફઅલી ખાનનો પણ લુક સામે આવી ચુક્યો છે. આ ફિલ્મમાં કાજોલનો એક મરાઠી લુક જોવા મળી રહ્યો છે.

આ ફિલ્મને લઈને ત્રણ જુદાં-જુદાં પ્લોટના ટીઝર સામે આવી ચુક્યા છે. આ ફિલ્મ અંગે અજય દેવગણે કહ્યું કે, સાવિત્રીબાઈ માલુસરે તાન્હાજીના સાહસની એક અનોખી શક્તિ છે. એ તેમનું પીઠબળ છે. આ ફિલ્મ છત્રપતિ શિવાજી મહારાજના સુબેદાર માલસુરે તાનાજી પર પર આધારિત છે. આ ફિલ્મ જાન્યુઆરી 10, 2020ના રોજ રીલિઝ થઈ રહી છે. આ ફિલ્મમાં સંજય મિશ્રાનો અવાજ ખૂબ જ પ્રભાવિત કરી દે એવો છે. આ ફિલ્મને લઈને અજય દેવગનને ઘણી બધી આશા છે. 'બાજીરાવ મસ્તાની', 'જોધા અકબર', 'પદ્માવત', 'મણિકર્ણિકા' અને 'કેસરી' બાદ વધુ એક ઐતિહાસિક ગાથા પર આધારિત ફિલ્મ બની છે.

એવા પણ સમાચાર છે કે, અજય દેવગનને લઈને ફિલ્મ નિર્માતા અનીઝ બઝમી 'દિવાનગી'ની રીમેક બનાવી રહ્યા છે. જેમાં અજય દેવગન એક નેગેટિલ રોલ પ્લે કરશે. 'દિવાનગી' વર્ષ 2002માં આવી હતી. જેમાં ઉર્મિલા માતોંડકર, અક્ષય ખન્ના અને અજય દેવગને રોલ પ્લે કર્યા હતા. આ અંગે ફિલ્મ નિર્માતાએ કહ્યું હતું કે, આ ફિલ્મને લઈને અનેક વખત મને સજેશન્સ મળી ચુક્યા છે. આ ફિલ્મમાં અજયનો રોલ થોડો વધારે ભયાનક રહેશે. જે અગાઉની ફિલ્મ કરતા ઘણો અલગ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp