મુંબઇ ઇન્ડિયન્સના પ્રશંસકો માટે રાહતના સમાચાર

PC: cricketnmore.com

દિલ્હી કેપિટલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચેની મેચ દરમિયાન એ વખતે દર્શકોના શ્વાસ થંભી ગયા જ્યારે જસપ્રીત બુમરાહ બોલ પકડવાના ચક્કરમાં પડી ગયો હતો અને ઇજાગ્રસ્ત થયો હતો. ત્યાર બાદ ભારતીય ક્રિકેટ પ્રેમીઓ લાગ્યું કે બુમરાહની આ ઇજા ક્યાંક વર્લ્ડ કપ માટે ભારે ન પડી જાય. ભારતીય પ્રશંસકો પ્રાર્થના કરી રહ્યા હતા કે બુમરાહને થયેલી ઇજા વધારે ગંભીર ન હોય. જો કે હવે પરેશાન થવાની જરૂર નથી. મુંબઇ ઇન્ડિયન્સ ટીમ મેનેજમેન્ટે બુમરાહને લઇને સારા સમાચાર આપ્યા છે. જણાવવામાં આવ્યું છે કે ઇજા વધારે ગંભીર નથી, અને તે જલદી સાજો થઇ જશે.

મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં થયેલી આ મેચમાં દિલ્હી કેપિટલ્સે 37 રને જીત મેળવી હતી. દિલ્હીની અંતિમ ઓવરમાં બોલ પકડવાની કોશીશમાં બુમરાહને ઇજા થઇ હતી. ઇજા થતાં તે બેટિંગ કરવા પણ ઉતર્યો ન હતો. એ સમયે લાગ્યું હતું કે, બુમરાહને ગંભીર ઇજા થઇ છે પરંતુ હવે ટીમ મેનેજમેન્ટે રાહતના સમાચાર આપ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp