પાકિસ્તાનની તરફદારી કરનાર સિદ્ધુ કપિલના શોમાંથી આઉટ, આ કલાકાર લેશે તેનું સ્થાન

PC: Watnopaarpunjabinews.com

પુલવામામાં થયેલા આતંકી હુમલા પર આપેલા નિવેદન બાદ નવજોત સિંહ સિદ્ધુ ચારે તરફથી ઘેરાઈ ગયો છે. હવે એવા સમાચાર સામે આવ્યા છે કે, સોની ટીવીએ ધ કપિલ શર્મા શોમાંથી તેને બહાર કરી દીધો છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, તેના નિવેદનની તમામ લોકોએ નિંદા કરી છે. ચેનલ અને શોને ખોટી રીતે આ વિવાદમાં ખેંચવામાં આવી રહ્યા હતા. ત્યારબાદ ટીમે નિર્ણય લીધો છે કે નવજોત સિંહ સિદ્ધુ સાથે છેડો ફાડી નાંખવો જોઈએ. ટીમે થોડાં એપિસોડ્ય અર્ચના પુરણ સિંહની સાથે શૂટ પણ કરી લીધા છે.

તમને જણાવી દઈએ કે, ગત ગુરુવારે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ CRPFના કાફલા પર કાયરતાપૂર્ણ હુમલો કર્યો હતો. આ હુમલામાં આપણા 40 વીર જવાન શહીદ થઈ ગયા હતા. હુમલા બાદ સમગ્ર દેશમાં આક્રોશ છે. તેમજ આ હુમલા પર પ્રતિક્રિયા આપતા પંજાબના કોંગ્રેસ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ કહ્યુ હતુ કે, મુઠ્ઠીભર લોકો માટે શું આખા દેશને દોષી ઠેરવી શકાય? આ એક કાયરતાપૂર્ણ હુમલો છે અને હું તેની કડક શબ્દોમાં નિંદા કરું છું. હિંસાની હંમેશાં નિંદા થવી જોઈએ અને જેમણે આ હુમલો કર્યો છે, તેને સજા જરૂર મળવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp