વર્લ્ડ કપ પહેલા સચિન તેંદુલકરે પોતાના ફેન સુધીર કુમારને આપી મોટી ભેટ

PC: cricketnmore.com

ભારતીય ટીમ વર્લ્ડ કપ રમવા માટે ઇંગ્લેન્ડ રવાના થઇ ચૂકી છે અને તે 30 મેથી શરૂ થનારા ક્રિકેટના આ મહાસંગ્રામની સૌથી મોટી દાવેદાર પણ માનવામાં આવી રહી છે. કેપ્ટન વિરાટ કોહલીની કેપ્ટનશીપ અને ધોની જેવા અનુભવી ખેલાડીના માર્ગદર્શન હેઠળ ભારતની ટીમ વર્લ્ડ કપ જીતે તેવી આશા ક્રિકેટ પ્રશંસકો કરી રહ્યાં છે.

આ દરમિયાન સમાચાર મળી રહ્યાં છે કે ભારતીય ટીમને સમર્થન આપવા અને પ્રોત્સાહિત કરવા માટે મોટી સંખ્યામાં ભારતીય પ્રેક્ષકો ઇંગ્લેન્ડ પહોંચવા લાગ્યાં છે એવામાં સચિન તેંદુલકર અને ભારતીય ટીમના સૌથી મોટા પ્રશંસક કહેવાતા સુધીર કુમાર ચૌધરી પણ ઇંગ્લેન્ડ જવા રવાના થયા છે.

સુધીર કુમારે આ માહિતી ટ્વીટર પર એક ટ્વીટ શેર કરીને સચિન તેંદુલકરનો આભાર માન્યો હતો. સુધીક કુમારે લખ્યું કે, સચિન સરનો આભારી છું કે તેમના લીધે હું એક મોટા સેલિબ્રેશનમાં સામેલ થવા માટે લંડન જઇ રહ્યો છું. હું સચિન સરનો આભારી છું કારણ કે તેમના લીધે જ હું લોર્ડસમાં બેસીને મેચ જોવાનું મારું સ્વપ્ન પુરું કરી શકીશ. ઉલ્લેખનીય છે કે આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ લોર્ડસના ઐતિહાસિક મેદાન પર રમાશે.

ભારતીય ટીમ આ વખતે વર્લ્ડ કપ રમવા માટે વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ પહોંચી છે. 30મે થી શરૂ થનારા ક્રિકેટના આ મહાકુંભમાં ભારતીય ટીમ પોતાની પહેલી મેચ 5 જૂનના રોજ દ.આફ્રિકાની ટીમ સામે રમશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp