ફેશન સંસ્થાનો સંચાલક જતીન બીજાને બચાવવા પોતે ફસાયો, કૂદીને બચ્યો,હાલ હોસ્પિટલમાં

PC: khabarchhe.com

સુરતના વરાછા ખાતે તક્ષશિલા આર્કેડમાં આવેલા ફેશન ઇન્સ્ટિટ્યૂટના સંચાલક જતીન નાકરાણી (23) ઘટના વખતે સંસ્થામાં જ હતા. આગ લાગતા પહેલા તો તેમણે વિદ્યાર્થીઓને ફટાફટ નીચે ઉતારી દીધા હતા. પરંતુ બીજા લોકોને બચાવવા તે ફરી ઉપર ગયા. ત્યાં જ ફસાઇ ગયા હતા. તેમણે પણ ઉપરથી નીચે કુદીનો પોતાની જાન બતાવી હતી. જોકે, તેઓ હજુ હોસ્પિટલમાં દાખલ છે.

જતીનના મિત્ર કુણાલ ઢાકેચાએ જણાવ્યું કે આગ લાગી ત્યારે જતીનના ક્લાસમાં એક બેઠક ચાલતી હતી.તેઓ આગામી દિવસોમાં એક ફેશન શો કરવાના હતા જેની ચર્ચા કરતા હતા. અચાનક ધૂમાડો ફેલાયો. જતીને પોતાની જાનની પરવા કર્યા વગર 15 જેટલા લોકોના જીવ બચાવ્યા. પરંતુ અંતે તે ઉપર ફસાઇ ગયો હતો. તેણે ઉપરથી કૂદવું પડયું હતું. હાલ તો મહાવીર હોસ્પિટલમાં દાખલ છે.
કુણાલે કહ્યું કે જતીન વિષે કેટલીક ગેરમસજ ફેલાઇ રહી. તેને અમુક જગ્યાએ મૃતકોની યાદીમાં બતાવી દેવાયો હતો. પરંતુ તે જીવે છે. તે હોસ્પિટલમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp